RBIના ગર્વનર શક્તિકાંત દાસે કહ્યું કે કોરોના મહામારીના કારણે સર્જાયેલી પરિસ્થિતિ પર RBI નજર રાખી રહ્યું છે. RBIએ વિવિધ નાણાંકીય સંસ્થાઓ માટે 50,000 કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું. સાથે જ રિવર્સ રેપો રેટને 25 અંક ઘટાડ્યો. જેથી બેંક રોકાણ વધે. RBIએ રિવર્સ રેપોરેટ 4 ટકાથી ઘટાડીને 3.75 ટકા કર્યો. હાલમાં ડિવિડન્ડ પેઆઉટ બેંક નહીં આપે, રેપોરેટમાં બદલાવ નહીં થાય, RBI ગર્વનર શક્તિકાંત દાસે કહ્યું કે મહામારીના પ્રકોપ સમયે સામાન્ય કામકાજ નક્કી કરવા માટે બેંકો, નાણાંકીય સંસ્થાઓની ખાસ તૈયારી છે. ભારતને માટે આઈએમએફના જીડીપી વૃદ્ધિનું અનુમાન 1.9 ટકા છે જે જી20 દેશોમાં સૌથી વધારે છે. આ સિવાય RBI ગર્વનરે કહ્યું કં ભારતીય અર્થવ્યવસ્થા 2021-22માં પાટા પર આવે તેવી શક્યતા છે.
RBI ગર્વનર શક્તિકાંત દાસે કરી પ્રેસ કોન્ફરન્સ
રિવર્સ રેપોરેટ 4 ટકાથી ઘટાડીને 3.75 ટકા કર્યો
ભારતીય અર્થવ્યવસ્થા 2021-22માં પાટા પર આવવાની શક્યતા જણાવી
આ કારણે અર્થવ્યવસ્થામાં થયું મોટું નુકસાન
RBI ગર્વનરે IMFના અનુમાનોને ટાંકીને કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થામાં 2021-22 પછી સુધારો આવવાની શક્યતા છે. ફેબ્રુઆરીના આઈઆઈપી આંકમાં કોવિડ 19 ના પ્રભાવની અસર નથી. RBI ગર્વનરે કહ્યું કે માર્ચમાં ઓટોમોબાઈલ ઉત્પાદન, વેચાણમાં મોટો ઘટાડો, ઈલેક્ટ્રીસિટીની ઘટતી માંગ જવાબદાર છે. માર્ચમાં નિકાસ 34.6 ટકા ઘટી છે. જે 2008-2009ના નાણાંકીય સંકટની તુલનામાં ઘણી વધારે છે.
અનેક નવા પગલાં લેવાશેઃ શક્તિકાંત દાસ
શક્તિકાંત દાસે કહ્યું કે કેન્દ્રીય બેંકના પહલાંથી બેંકિંગ પ્રણાલીમાં આર્થિક સ્થિતિમાં સુધારો આવ્યો છે. RBI પ્રણાલીમાં તરલતા જાળવવા, બેંકનો પ્રવાહ સરળ બનાવવા અને નાણાકીય દબાણ ઘટાડવા માટે નવા પગલાંની જાહેરાત કરશે.
આ રીતે થશે શરૂઆત
શક્તિકાંત દાસે જણાવ્યું કે 50,000 કરોડ રૂપિયાની રકમ સાથે એલટીઆરઓ 2.0 ની શરૂઆત થશે. નાબાર્ડ, સિડબી, એનએચબી જેવી નાણાકીય સંસ્થાઓને રૂ. 50,000 કરોડની વિશેષ નાણાકીય સહાય ઉપલબ્ધ કરાશે.