કોરોનાની બીજી લહેરની વચ્ચે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાતો કરી.
બીજી લહેરથી સંકટ ઊભુ થયું છે- શક્તિકાંત
સ્થિતિઓ પર આરબીઆઈની નજર બનેલી છે- - શક્તિકાંત
હેલ્થ સેવા માટે 50 હજાર કરોડ આપ્યા
ગવર્નરમાં શક્તિકાંતે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે બીજી લહેરથી ઈકોનોમીને ભારે સ્તર પર અસર પડી છે. આની સાથે જોડાયેલી સ્થિતિઓ પર આરબીઆઈની નજર બનેલી છે. બીજી લહેરની વિરુદ્ધ પગલા ભરવાની જરુર છે.
બીજી લહેરથી સંકટ ઊભુ થયું છે
શક્તિકાંત દાસે મીડિયા સંબોધનમાં કહ્યુ કે કોરોનાની પહેલી લહેર બાદ ઈકોનોમીમાં રિકવરી દેખાવાની શરુ થઈ હતુ પરંતુ બીજી લહેરથી સંકટ ઊભુ થયું છે. સરકાર રસીકરણમાં તેજી લાવી રહી છે. તેમણે આગળ કહ્યુ કે ગ્લોબલ ઈકોનોમીમાં રિકવરીના સંકેત છે. ભારતની વાત કરીએ તો ભારતીય ઈકોનોમી પણ દબાણથી ઉભરતી જોવા મળી રહી છે. આગળ સારા મોન્સૂનમાં ગ્રામીણ માંગમાં તેજીની શક્યતા છે. મૈન્યૂફેક્ચરિંગ એકમોમાં પણ ધીમાપણુ અટકતુ નજરે પડી રહ્યુ છે. ટ્રેક્ટર સેગમેન્ટમાં તેજી યથાવત જોવા મળી રહી છે જો કે એપ્રિલમાં ઓટો રજીસ્ટ્રેશનમાં અછત જોવા મળી છે. આરબીઆઈએ સ્થિતિ પર નજર બનાવી રાખી છે.
હેલ્થ સેવા માટે 50 હજાર કરોડ આપ્યા
આરબીઆઈએ ઈમરજન્સી હેલ્થ સેવા માટે 50 હજાર કરોડ રુપિયા આપ્યા. આ ઉપરાંત રસી મેન્યૂફેર્ચર્સ, રસી ટ્રાન્સપોર્ટ્સ, એક્સપોર્ટ્સને સરળ હપ્તે લોન ઉપલબ્ધ કરાવશે. આ ઉપરાંત હોસ્પિટલો, હેલ્થ સર્વિસ, પ્રોવાઈડર્સને પણ આનો લાભ મળશે. શક્તિકાંત દાસે કહ્યુ કે પ્રાઈરોરિટી સેક્ટર માટે જલ્દી લોન અને ઈન્સેન્ટિવ આપવામાં આવશે.
બેંક અકાઉન્ટ ખોલાવવા માટે KYCને મંજૂરી
ગવર્નર શક્તિકાંત દાસે પોતાના સંબોધનમાં કહ્યું કે હાલની સ્થિતિમાં KYCના નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. આ અંતર્ગત વીડિયોના માધ્યમથી KYCને મંજૂરી આપવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યુ કે રાજ્યો માટે Overdraft Facilityમાં રાહત આપવામાં આવી છે.
ગવર્નર લોન મોરેટોરિયમને લઇને રાહત આપી શકે
ઉલ્લેખનીય છે કે આજે સવારે 10 વાગે ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિદાસ મિડીયાને સંબોધિત કરી રહ્યા. આ અંગે આરબીઆઇએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી. મિડીયા રિપોર્ટ અનુસાર આરબીઆઇના ગવર્નર લોન મોરેટોરિયમને લઇને રાહત આપી શકે છે. જો એવું થશે તો ઇએમઆઇ જમા કરનારા લોકોને રાહત મળશે. આ પહેલા એક મિડીયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે દેશના બેન્કર્સે કેન્દ્રીય બેન્કને નાના ઉદ્યોગ માટે આપવામાં આવેલ લોન પર ત્રણ મહિનાના લોન મોરેટોરિયમનું એલાન કરવાનુ અનુરોધ કર્યો છે. આ સાથે કેટલીક અન્ય રાહતનું એલાન કર્યુ છે.