કોવિડ-19 અને લોકડાઉને ભારત સિત દુનિયાની અર્થવ્યવસ્થાને હચમચાવી દીધી છે. ચાલૂ નાણાંકીય વર્ષના પહેલા ત્રિમાસિક પછી દેશમાં આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થઇ રહ્યો છે, જેના સકારાત્મક પરિણામ જોવા મળી રહ્યાં છે.
RBIના ગર્વનર શક્તિકાંત દાસે ધિરાણ નીતિની બેઠકમાં આશા વ્યક્ત કરી છે કે જાન્યુઆરી-માર્ચ 2021 એટલે કે ચાલૂ નાણાંકીય વર્ષના અંતિમ અને ચોથા ત્રિમાસિકમાં GDPના ગ્રોથમાં સકરાત્મક જોવા મળી શકે છે. જો કે RBI ગર્વનરે એ પણ શક્યતા વ્યક્ત કરી કે ચાલુ નાણાંકીય વર્ષ 2020-21માં GDP ગ્રોથ શૂન્યથી 9.5 ટકા નીચે રહી શકે છે.
ત્રીજા ત્રિમાસિકથી જ GDP ગ્રોથમાં સુધાર જોવા મળી શકે છે
RBIએ પોતાની ધિરાણ નીતિની બેઠકમાં અનુમાન લગાવ્યો છે કે જૂલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં GDP ગ્રોથમાં સુધાર ઘણો ઓછો જોવા મળી શકે છે. MPCએ એ પણ આશા રાખી છે કે ઓક્ટોબર પછી GDP ગ્રોથમાં તેજી જોવા મળી શકે છે. RBI ગર્વનરે એમ પણ કહ્યું છે કે ચાલૂ નાણાંકીય વર્ષના બીજા છ માસિકમાં GDP ગ્રોથમાં કોવિડનો પ્રભાવ ઓછો દેખાશે.
દેશભરમાં સારા મોનસૂન હેઠળ રેકોર્ડેબલ કૃષિ ઉત્પાદન થવાનું અનુમાન છે. રવિ પાકનું ઉત્પાદન સારુ થવાની આશા છે. જેનાથી ગ્રામિણ અર્થવ્યવસ્થા અને માંગમાં તેજી જોવા મળશે. કૃષિની સાથે કન્ઝૂયમર અને ફાર્મા સેકટરમાં તેજ વૃદ્ધિનું અનુમાન લગાવામાં આવ્યું છે.
RBIની ધિરાણ નીતિ સમીક્ષા બેઠકમાં કોવિડ-19થી વધારે મહત્વ અર્થવ્યવસ્થાને રિવાઇવલ પર આપવા અંગે ચર્ચા કરવામાં આવી, જે સારા સંકત છે.