ગામડામાં ઈન્ટરનેટની સારી સુવિધા ઉપલબ્ધ ન હોવાના કારણે લોકોને પૈસાની લેવડદેવડની સમસ્યા દૂર થઈ જશે. આરબીઆઇ દ્વારા આજે કરવામાં આવેલી જાહેરાતમાં આનો ઉલ્લેખ કરાયો હતો.
મોનેટરી પોલિસી કમિટીની બેઠક
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) ની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી) ની બેઠક, જે 6 ઓક્ટોબરથી શરૂ થઈ હતી, આજે પૂરી થઈ હતી હતી . કોરોનાની બીજી લહેરને કારણે એપ્રિલ અને મે દરમિયાન દેશના ઘણા ભાગોમાં લાદવામાં આવેલા કડક પ્રતિબંધોને કારણે ભારતીય અર્થતંત્ર પ્રભાવિત થયું હતું. પરંતુ હવે પ્રતિબંધોમાં થોડી છૂટ આપવામાં આવી રહી છે. તેથી આ બેઠક ખૂબ મહત્વની સાબિત થઈ છે. ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ દર બે મહિને મળે છે. આ બેઠકમાં અર્થવ્યવસ્થામાં સુધારાની ચર્ચા કરવામાં આવે છે તેમજ વ્યાજ દરો પણ નક્કી કરવામાં આવે છે. રિઝર્વ બેન્કે છેલ્લે 22 મે 2020 ના રોજ રેટમાં ફેરફાર કર્યો હતો.
રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાન્ત દાસે જાહેરાત કરી હતી કે હવે ટૂંક સમયમાં જ ભારતની બેન્કિંગ સિસ્ટમને એક નવા જ આયામ પર લઈ જવાનાં પ્રયાસ ચાલી રહ્યા છે. થોડા સમયમાં ભારતમાં ઈન્ટરનેટ વિના જ પૈસા ટ્રાન્સફર કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
ઈન્ટરનેટ મોટી સમસ્યા
હાલમાં દેશના કેટલાક અંતરિયાળ ગામડાઓમાં ઇન્ટરનેટની સારી વ્યવસ્થા નથી. આવા વિસ્તારના લોકો બેન્કિંગ સિસ્ટમનો લાભ લઈ શકતા નથી. તેઓ UPI, RTGS, IMPS, જેવી સુવિધાઓનો લાભ લી શકતા નથી. હવે થોડા સમયમાં જ તેઓ પણ ઓફલાઇન પેમેન્ટ મિકેનિઝમ દ્વારા પૈસાની લેવડ દેવડ કરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.
ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલરીટી પોલિસી મુજબ 06, ઓગસ્ટ 2020 ના દિવસે આ પ્રકારની ઇનોવેટિવ ટેક્નૉલૉજિ કે જે ડિજિટલ પેમેન્ટ માટે એવા દુર્ગમ સ્થળોએ પણ કામ લાગે કે જ્યાં ઈન્ટરનેટ નથી, ત્યાં સફળતા પૂર્વક પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પાયલોટ સ્કીમમાં નાના મૂલ્યના ટ્રાન્સેકશન કરવામાં આવ્યા હતા અને મોબાઈલ વૉલેટ તેમજ કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સૌથી વધારે 200 રૂપિયા અને 2000 રૂપિયા સુધી કરવા દેવામાં આવે તેવો નિયમ પાયલોટ સ્કીમમાં રખવામાં આવ્યો હતો.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના (Reserve Bank of India) ગનર્નર શક્તિકાંત દાશે આઈએમપીએસ સર્વિસને લઈને મોટી જાહેરાત કરી છે. હવે ગ્રાહક એક દિવસમાં 5 લાખ રૂપિયા સુધીનું ટ્રાન્ઝક્શન કરી શકશે. આ પહેલા આ લિમિટ 2 લાખ રૂપિયાની હતી. તમને જણાવી દઈએ કે ભારતમાં ઓનલાઈન બેન્કિંગના માધ્યમથી ક્યારેય પણ ક્યાંય પણ પૈસા મોકલી શકાય છે. પરંતુ પૈસા મોકલવાની રીત અલગ અલગ છે. હકીકતે ઓનલાઈન બેન્કિંગથી પૈસા મોકવાની પણ ત્રણ રીતો છે. જેના દ્વારા એમાઉન્ટ ટ્રાન્સફર થાય છે. તેમાં આઈએમપીએસ, ઈનએફટી, આરટીજીએસનું નામ શામેલ છે.
શું હોય છે IMPS IMPS એટલે કે ઈમીડિયેટ મોબાઈલ પેમેન્ટ સર્વિસ. સરળ ભાષામાં કહીએ તો IMPS દ્વારા કોઈ પણ ખાતા ધારકને ક્યાંય પણ પૈસા મોકલી શકાય છે. તેમાં પૈસા મોકલવાને લઈને કોઈ પાબંદી નથી. તમે અઠવાડિયાના દરેક દિવસમાં 24 કલાકમાં ક્યારેય પણ આઈએમપીએસ દ્વારા અમુક સેકેન્ડમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો.
હવે RBIએ IMPSનો કયો નિયમ બદલ્યો?
RBIના નવા નિર્ણય બાદ ગ્રાહક IMPS દ્વારા 5 લાખ રૂપિયા સુધીની લેવડ-દેવડ કરી શકે છે. તે પહ્લા આ લિમિટ 2 લાખ રૂપિયાની હતી. તમને જણાવી દઈએ કે IMPSથી પૈસા ટ્રાન્સફર કરવા પર ઘણી બેન્ક કોઈ ફી નથી લેતી.
આજે પૂરી થયેલ બેઠક બાદ
નોંધવા જેવા મુખ્ય મુદ્દાઓ:
1) એમએસએફ દર પણ 4.25 ટકા પર સ્થિર છે.
દાસે વધુમાં જણાવ્યું હતું કે રિવર્સ રેપો રેટ પણ 3.35 % પર સ્થિર રાખવામાં આવ્યો છે.
2) RBI એ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. તે 4 % પર રહે છે. એટલે કે ગ્રાહકોને EMI અથવા લોનના વ્યાજ દરો પર કોઈ નવી રાહત મળી નથી.
3) આ સાથે બેંક દરમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે 4.25 % છે.
4) કેન્દ્રીય બેંકે નાણાકીય વલણ પણ 'ઉદાર' રાખ્યું છે.
5) રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ચાલુ નાણાકીય વર્ષ 2021-22માં દેશના રિયલ જીડીપીમાં 9.5% ની વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે.
6) આ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 7.9 %, ત્રીજા ક્વાર્ટરમાં 6.8 % અને ચોથા ક્વાર્ટરમાં 6.1 % હતો.
7) શક્તિકાંત દાસે કહ્યું કે નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ક્વાર્ટરમાં દેશની વાસ્તવિક જીડીપી 17.1 %રહી શકે છે.
8) ફુગાવા પર દાસે કહ્યું હતું કે 2021-2022 ના નાણાકીય વર્ષમાં CPI ઇનફલેશન એટલે કે ફુગાવો દર 5.3 % હોઈ શકે છે. છેલ્લી બેઠકમાં તેનો અંદાજ 5.7 % હતો.
9) બીજા ક્વાર્ટરમાં ફુગાવો 5.1 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 4.5 અને ચોથા ક્વાર્ટરમાં 5.8 ટકા હોઈ શકે છે.
સાથે કેન્દ્રીય બેંકે કહ્યું કે નાણાકીય વર્ષ 2022-2023ના પ્રથમ ક્વાર્ટરમાં સીપીઆઈ ફુગાવો 5.2 % રહેવાની શક્યતા છે.