નવા ફાઇનાન્સિયલ યરમાં ભારતીય રિઝર્વ બેંકની પહેલી એમપીસીની બેઠકમાં સામાન્ય લોકોને મોટી રાહત મળી છે.
વાસ્તવમાં કેન્દ્રીય બેંકની તરફથી રેપો રેટમાં 25 બેસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે RBIની નવો રેપો રેટ 6 % થયો છે. જે અગાઉ 6.25 % હતો. રિઝર્વ બેંકે આ સાથે જ 2019-20ના GDP અનુમાનને 0.2% ઘટાડી દીધુ છે.
કેન્દ્રીય બેંકે ફેબ્રુઆરીમાં 18 મહિના પછી રેપો રેટમાં 0.25% નો ઘટાડો કર્યો હતો. સતત બીજી વખત વ્યાજ દરમાં ઘટાડો આ સામાન્ય જનતા માટે રાહતરૂપ સાબિત થશે.
વાસ્તવમાં RBIએ પોતે મોંઘવારીને ધ્યાનમાં રાખતા વ્યાજ દરો પણ નિર્ણય કર્યો છે. ઘણા મહિનાના ઘટાડા પછી ફેબરુઆરીમાં મોંઘવારીના દરમાં સામાન્ય બઢત જોવાી મળી અને જે 2.57% પહોંચી ગઇ. મોંઘવારીનો દર ચાર મહિનાના ઉચ્ચતમસ્તર હતો. જોકે વાર્ષિક આધાર પર મોંઘવારીનો દર હજુ પણ ઓછો છે. આ પાછળનું કારણ RBI પર વ્યાજ દરોની કપાટનું દબાણ હતુ. તમને જણાવી દઇએ કે , જુલાઇ 2018 થી લઇને જાન્યુઆરી 2019 વચ્ચે સતત મોંઘવારીમાં ઘટાડો થયો છે.
આ લોકોને મળશે ફાયદો:
RBIની રેપો રેટમાં ઘટાડાનો ફાયદો હોમ લોન અને ઑટો લોન લીધેલી જનતાને થશે. વાસ્તવમાં રેપો રેટમાં ઘટાડા પછી બેંકો પર હોમ તથા ઑટો લોન પર વ્યાજ દરમાં ઘટાડો કરવાનું દબાણ રહેશે. તમને જણાવી દઇએ કે, RBIના નવા નિયમો પછી બેંકોને રેપો રેટમાં ફાયદો સામાન્ય જનતાને આપવો પડશે, એવામાં જો હોમ કે ઑટો લોન ચાલી રહી છે તો EMI ઓછી થઇ જશે.
GDPના અનુમાનમાં ઘટાડો:
2019-20 માટે રિઝર્વ બેંકે GDPનુ અનુમાન 0.2% ઘટાડી દીધુ છે. રિર્ઝવ બેંકની બેઠકમાં GDPના અનુમાનને 7.2% રાખવામાં આવ્યુ છે. આ પહેલા કેન્દ્રીય બેંકે GDPના અનુમાન 7.4% રાખવામાં આવ્યુ હતુ.