આરબીઆઈના ગવર્નર શકિતકાંત દાસે ઓગસ્ટ મહિના સુધી લોનમાં આપી છે. આ સાથે લોનના હપ્તા પર 3 મહિનાની વધારાની છૂટ આપવામાં આવી છે. મતલબ કે જો તમે આગામી 31 ઓગસ્ટ સુધી તમારી લોનની ઇએમઆઈ નહીં આપો, તો બેંક દબાણ નહીં કરે અને તમને 6 મહિના સુધી લોન ન ચૂકવવા પર પણ ડિફોલ્ટર નહીં માનવામાં આવે. જોકે, ગયા વખતની જેમ આ વખતે પણ તમારી બેંક લોન ઈએમઆઈ પર આ છૂટ આપવા સંમત થશે તો જ તમને આ ફાયદો મળશે.
RBIએ EMIને લઈને આપી આ મોટી રાહત
ઓગસ્ટ મહિના સુધી લોનમાં આપવામાં આવી છૂટ
પણ પછી આવી શકે છે આવી પરેશાનીઓ
આરબીઆઈએ સ્પષ્ટ કહ્યું છે કે, બેંકોને લોનમાં છૂટ આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે. બેંક તેનો ફાયદો ગ્રાહકોને આપશે કે નહીં, તેનો નિર્ણય જે-તે બેંક લેશે. માર્ચ ત્રિમાસિકના આંકડા મુજબ લોન બુકમાં 25-71 ટકા હિસ્સો ધરાવતા ગ્રાહકોએ લોનમાં છૂટનો લાભ લીધો છે. રિટેલ સેગમેન્ટ સિવાય, જે સેગમેન્ટમાં લોન મોરટોરિયમનો સૌથી વધુ ફાયદો થયો છે તે છે કૃષિ લોન, માઇક્રો ક્રેડિટ, કોમર્શિયલ વ્હીકલ લોન અને ક્રેડિટ કાર્ડ્સ જેવી અન્ય અસુરક્ષિત લોન છે.
6 મહિનાની ઇએમઆઈ અને તેના પર લાગેલો વ્યાજ ચૂકવવો પડશે
હવે આરબીઆઈએ છૂટ તો આપી દીધી છે. પરંતુ મુશ્કેલી એ છે કે, લોનમાં છૂટની અવધિ સમાપ્ત થતાં જ 6 મહિનાના EMIની રકમને તમારા આગામી હપ્તામાં ઉમેરી દેવામાં આવશે જેથી બની શકે તમારા આગામી હપ્તાની રકમ થોડી વધીને આવે. જેથી ભવિષ્યમાં જો તમારી EMIનો હપ્તો વધુ રકમનો ન ભરવો હોય તો અને હાલ પૈસા હોય તો આ મૉરેટેરિયમ પીરિયડનો લાભ ન લઈને રાબેતા મુજબ જ હપ્તો ભરી દેવો જોઈએ.