રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું છે કે આવનારા છ મહિનામાં બેંકોના ફસાયેલા નાણા એટલે કે, NPA(નોન પરફોર્મિંગ અસેટ્સ)માં વધારો થઇ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે આ સમસ્યાને જેટલી વધારે સમજી લેવામાં એટલુ જ દેશ માટે સારું રહેશે.
આવતા છ મહિનામાં NPAમાં વધારો થશે : રાજન
જેટલી જલ્દી સમસ્યાને સમજી લઈએ એટલું સારું : રાજન
ઉલ્લેખનીય છે કે કોવિડ-૧૯ને લઈને સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું , અને જેના લીધે કંપનીઓને ઘણું નુકશાન થયું છે. જેને કારણે કંપનીઓને પોતાની લોન ચૂકવવવા માં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રઘુરામ રાજને નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રીસર્ચ(એનસીએઇઆર) દ્વરા આયોજિત ઇન્ડિયા પોલીસી ફોરમના એક સત્ર માં જણાવ્યું હતું કે,જો આપણે ખરેખરમાં એનપીએ ના વાસ્વસ્ત્વિક સત્ર ને સમજીએ તો ખ્યાલ આવશે કે આવનારા છ મહિનામાં એનું સ્તર અણધાર્યું વધવા જઈ રહ્યું છે.
રઘુરામ રાજને વધુમાં જણાવ્યું કે, જનધન ખાતાનું જે રીતે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યું તે રીતે તેનું પરિણામ મળ્યું નથી. જોકે તેમને તેમ પણ કહ્યું કે કૃષિ ક્ષેત્રે ભારત વાસ્તવ માં સારી રીતે આગળ વધી રહ્યું છે. રાજને કહ્યું, નિશ્ચિત રીતે મોદી સરકાર એ સુધારા ને આગળ વધ્યા છે. આ સુધારાઓની લાંબા સમયથી ચર્ચાઓ થઈ રહી છે, પણ એ સુધારા પર જયારે ખરેખર કામ કરવામાં આવશે ત્યારે દેશની અર્થવ્યસ્થા ના એક મોટા હિસ્સાને એનો લાભ મળશે.
કૃષિ ક્ષેત્ર ના પ્રદર્શન નો ભારતે લાભ ઉઠાવવો જોઈએ : સુબ્બારાવ
ભારતીય રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ના વધુ એક પૂર્વ ગર્વનર ડી સુબ્બારાવએ જણાવ્યું છે કે ચોમાસાની સીઝન માં આ વખતે વરસાદ ઘણો સારો પાડવાનો હોવાની સંભાવના વચ્ચે ભારત સરકારે કૃષિ ક્ષેત્રે થનારી આવક નો ભારત સરકારે લાભ ઉઠાવીને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની જરૂર છે.
આર્થિક શોધ સંધાન એનસિએઇઆર દ્વારા મંગળવારે આયોજિત વેબિનામાં સંબોધિત કરતી વખતે સુબ્બારાવે કહ્યું કે ગ્રામીણ અર્થવ્યવસ્થા શહેરી અર્થવ્યવસ્થાની તુલનામાં ઘણું સારું પ્રદર્શન કરી રહ્યું છે. શહેરી અર્થવ્યવસ્થા અત્યારે કોવીડ-૧૯ ની સમ્સ્યા સામે લડી રહી છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે ગ્રામિણ અર્થવ્યસ્થાનું દેશ જીડીપી માં ૨૫% યોગદાન છે. મનરેગા કરવામાં આવેલા ખર્ચના કારણે ગ્રામીણ અર્થવ્યવસ્થા શહેરી અર્થવ્યવસ્થા કરતા વધુ સારી સાબિત થઇ છે.
સુબ્બારાવે જણાવ્યું કે ગરીબ કલ્યાણ યોજનામાં કરવામાં આવેલા ખર્ચ અને ભારતીય ખાદ્ય નિગમ દ્વારા કૃષિ ઉપજની ખરીદીથી ખેડૂતોના હાથમાં પૈસા આવી ગયા છે. અને એ સિવાય પણ આ વખતે સારા વરસાદના કારણે કૃષિ ક્ષેત્રે ની સ્થિતિ વધુ સારી રહેવાની સંભાવના છે.
પૂર્વ ગવર્નરે કહ્યું કે દેશની આ કમજોર અર્થવ્યસ્થા માં અમુક સારી બાબતો પણ છે જોવાનું એ છે કે આપને કઈ રીતે તેનો લાભ ઉઠાવી શકીએ છીએ. કૃષિ ક્ષેત્ર માં સુધારા હેઠળ સરકારે ૮ વર્ષ થી વધુ જુનાં આવશ્યક વસ્તુ અધિનિયમ માં સંશોધન કર્યા છે. અને અનાજ,ખાદ્ય તેલ,ડુંગળી,બટાકા,જેવા ઉત્પાદનોને આવશ્યક ચીજવસ્તુઓની લીસ્ટ માંથી બહાર કરવામાં આવ્યા છે.