લોન આપનાર સંસ્થા લોન લેનારાઓને પરેશાન કરી શકશે નહીં.આ સાથે જ લોન વસુલી એજન્ટ કોઈ પણ રીતે લોન લેનારને ડરાવી કે ધમકાવી શકશે નહીં.
લોન આપનાર સંસ્થા લોન લેનારાઓને પરેશાન કરી શકશે નહીં
થર્ડ પાર્ટી બેંકમાંથી લોન લેનારાઓને ડરાવી શકશે નહીં
એજન્ટો જાહેરમાં લોન લેનારા મિત્રો કે સંબંધીઓનું અપમાન પણ કરી શકશે નહીં
ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે કોઈને આપેલ લોન કે ઉધાર વસૂલવા માટે અલગ અલગ રીત અપનાવવામાં આવે છે પણ હવે ભારતીય રીઝર્વ બેંકે ઓફ ઈન્ડિયા (RBI)એ તેમના પર કડક નિયમો બનાવવાનું શરૂ કરી દીધું છે. શુક્રવારે આરબીઆઈએ કહ્યું હતું કે કોઈ પણ લોન આપનાર સંસ્થા લોન લેનારાઓને પરેશાન કરી શકશે નહીં. સીધા શબ્દોમાં કહીએ તો લોન વસુલનાર એજન્ટો લોન લેનારાઓ પાસેથી પૈસા પાછા મેળવવા માટે તેને ડરાવવા-ધમકાવવા અને અન્ય એવી રીતોનો સહારો લઈ શકશે નહીં.
આરબીઆઈને (RBI) મળી હતી ફરિયાદ
આરબીઆઈ (RBI) ને આ વિશે ઘણી ફરિયાદ મળી હતી અને એ પછી જ આરબીઆઈ (RBI) દ્વારા આ સુચના બહાર પાડવામાં આવી છે. આરબીઆઈ (RBI)ની આ સૂચના એ દરેક સંસ્થાઓ પર લાગુ પડશે જે આરબીઆઈના કાર્યક્ષેત્રમાં આવે છે. થર્ડ પાર્ટી બેંકમાંથી લોન લેનારાઓને ડરાવી શકશે નહીં. આ સાથે જ લોનની વસુલાત કરતા એજન્ટો મૌખિક અથવા શારીરિક લોઈ પણ પ્રકારની ધમકીનો સહારો લઇ શકેશે નહીં. અ સાથે જ એ એજન્ટો જાહેરમાં લોન લેનારા મિત્રો કે સંબંધીઓનું અપમાન પણ કરી શકશે નહીં.
કોના પર લાગુ થશે આ સર્ક્યુલેશન
તમને જણાવી દઈએ કે આ સર્ક્યુલેશનમાં જે નિયમોની વાત કરવામાં આવી છે એ દરેક કોમર્શીયલ બેંક, નોન-બેંક ફાઈનાન્શિયલ કંપનીઓ, અખિલ ભારતીય નાણાકીય સંસ્થાઓ અને તમામ પ્રાથમિક શહેરી સહકારી બેંકો પર લાગુ થશે. જો આ કોઈ નિયમોનું પાલન નથી કરતા અને લોન લેનાર તરફથી આ મુદ્દે કોઈ ફરિયાદ આવી તો આરબીઆઈ (RBI) તેના પર ગંભીરતાથી કોઈ નિર્ણય કરશે.
ઉધાર લેવાવાળા લોકોની પ્રાઈવેસીનું ધ્યાન રાખો
આ સિવાય આરબીઆઈ (RBI) એ દરેકલોન આપનાર સંસ્થાને એમ પણ કહ્યું છે કે લોન લેનાર વ્યક્તિની પ્રાઈવેસીનું પુરતું ધ્યાન રાખવામાં આવું જોઈએ. આરબીઆઈ (RBI) એ કહ્યું છે કે વસુલી એજન્ટ કોઈ પણ રીતે લોન લેનારની પ્રાઈવેસીમાં દખલ આપી શકતા નથી. ન તો મોબાઈલ કોલ કે ન તો સોશ્યલ મીડિયા દ્વારા તેને ધમકાવી શકશે નહીં, આ સાથે જ વસુલી એજન્ટે સવારે 8 વાગ્યા પહેલાં અને સાંજે 7 વાગ્યા પછી લોન લેનારને ફોન કરી શકેશે નહીં.
તમને જણાવી દઈએ કે આરબીઆઈ (RBI) નાં ગવર્નર શક્તિકાંત દાસે લોન રીકવરી એજન્ટ દ્વારા લોકો સાથે થતા ખોટા વર્તનને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને એ પછી જ આરબીઆઈ (RBI) એ આ સર્ક્યુલેશન બહાર પાડ્યું છે.