રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ 'પ્રાયરિટી સેક્ટર લેન્ડિંગ' હેઠળ હાઉસિંગ લોન લિમિટ વધારી દીધી છે. આરબીઆઇએ આ સંબંધમાં બેંકોને નિર્દેશ પણ આપી દીધા છે.
જો તમે ઘર ખરીદવા કે બનાવવા ઇચ્છો છો તો તમારા માટે સારા સમાચાર છે. વાસ્તવમાં રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ 'પ્રાયરિટી સેક્ટર લેન્ડિંગ' હેઠળ હાઉસિંગ લોન લિમિટ વધારી દીધી છે. આરબીઆઇએ આ સંબંધમાં બેંકોને નિર્દેશ પણ આપી દીધા છે.
આરબીઆઇના આ નિર્ણય હેઠળ મેટ્રો શહેરો (જેની જનસંખ્યા 10 લાખ અને એનાથી વધારે છે) માટે 35 લાખ રૂપિયાની લોન સીમા થઇ જશે. પહેલા આ શહેરો માટે 28 લાખ રૂપિયા સુધીની લોનની લિમીટ હતી. જો કે એની શરત એ છે કે મકાનનો કુલ ખર્ચ 45 લાખ રૂપિયાથી વધારે હોવો જોઇએ નહીં.
આ રીતે જે વિસ્તારની આબાદી 10 લાખથી ઓછી છે ત્યાં માટે આરબીઆઇએ બેંકોને આ સીમા 25 લાખ રૂપિયા સુધી કરવાનો નિર્દેશ આપ્યો છે જે પહેલા 20 લાખ રૂપિયા હતી. અહીંની શરત એ છે કે મકાનનો કુલ ખર્ચ 30 લાખથી વધારે હોવો જોઇએ નહીં. એનો અર્થ છે કે જો તમે ઘર ખરીદી રહ્યા છો તો આ મૂલ્ય સીમાની અંદર ઘર ખરીદવા પર જ હોમ લોન PSL ની અંદર આવશે.
વાસ્તવામ દેશના વિકાસમાં યોગદાન માટે બેંકોને આરબીઆઇ તરફથી એક લક્ષ્ય આપવામાં આવે છે. એ હેઠળ એમને નક્કી કરેલા સેક્ટર્સના ડિસ્કાઉન્ટ પ્રાઇસ પર લોન આપવાની હોય છે.
આરબીઆઇ પ્રમાણે PSL કેટેગરીમાં 8 સેક્ટર સામેલ છે. એમાં હાઉસિંગ, કૃષિ, શિક્ષા, નાના ઉદ્યોગો સહિત અન્ય સામેલ છે. સરળ ભાષામાં સમજીએ તો આ શ્રેણી હેઠળ મોટી આબાદી વાળા અને આર્થિક રૂપથી નબળા લોકોથી સંબંધિત સેક્ટર સામેલ કરવામાં આવ્યા છે.
જણાવી દઇએ કે PSL હેઠળ આપવામાં આવતી લોન માટે આરબીઆઇ સમય સમય પર વ્યાજદરોની જાહેરાત કરતી રહે છે. એના આધાર પર જ લોન આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે PSL હેઠળ આવનાર લોનનો વ્યાજ દરની જાહેરાત કરતું રહે છે. એના આધાર પર જ લોન આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે PSL હેઠળ આવનાર લોનનો વ્યાજ દર અપેક્ષાકૃત ઓછો હોય છે.