ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના એક ડાયરેક્ટર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા સતીશ કાશીનાથ મરાઠેએ કોરોના સંકટનો સામનો કરવા માટે મોદી સરકારના રાહત પેકેજ પર સવાલ ઉઠાવ્યા છે. તેઓએ કહ્યું કે 3 મહીનાનું મોરેટોરિયમ પુરતુ નથી અને એનપીએમાં રાહત આપવીએ કોરોના રાહત પેકેજનો ભાગ હોવો જોઇતો હતો.
સતીશ કાશીનાથ મરાઠેએ મોદી સરકારના રાહત પેકેજ પર સવાલ ઉઠાવ્યા
રાહત પેકેજ સારુ અને પ્રગતિશીલ વિચારવાળુ, પરંતુ બેન્કોને સામેલ કરવામાં નિષ્ફળ
કયા મામલે રહ્યા નિષ્ફળ?
તેઓએ ટ્વિટ કરી કહ્યું, રાહત પેકેજ સારુ અને પ્રગતિશીલ વિચારવાળુ છે પરંતુ તે અર્થવ્યવસ્થાને બહાર નીકાળવામાં અગ્રેસર યોદ્ધાઓના રૂપે બેન્કોને સામેલ કરવામાં નિષ્ફળ રહ્યું છે. 3 મહીનાનું મોરેટોરિયમ પુરતુ નથી. એનપીએ, જોગવાઇમાં રાહત વગેરે રાહત પેકેજનો ભાગ હોવો જોઇતો હતો જેથી ભારતને એકવાર ફરી પ્રગતિના રસ્તે લાવી શકાય. તેઓએ કહ્યું કે સરકારના રાહત પેકેજથી માંગ વધવાની આશા ઓછી છે, કેમકે તેમા સપ્લાઇ પર જોર અપાયું છે.
RSSની સંસ્થા સાથે જોડાયેલા છે મરાઠે
મરાઠે બેન્ક ઓફ ઇન્ડિયાથી પોતાના બેન્કિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેઓ 2002થી 2006 સુધી ધ યૂનાઇટેડ વેસ્ટર્ન બેન્કના ચેરમેન અને સીઇઓ અને તેની પહેલા 1991થી 2001 સુધી જનકલ્યાણ સહકારી બેન્ક લિમિટેડના સીઇઓ પણ રહ્યા છે. તે સહકારી ક્ષેત્રમાં કામ કરનારી એનજીઓ સહકાર ભારતીના સંસ્થાપક સભ્ય છે. તે આરએસએસ સાથે જોડાયેલ એક સ્વયંસેવી સંગઠન છે.
પીએમ મોદીએ ગત સપ્તાહે વૈશ્વિક મહામારી કોરોના સંકટથી અર્થવ્યવસ્થાને બહાર લાવવા માટે 20 લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું હતું.