ભારતીય રિઝર્વ બેંકે કાલે કહ્યું હતું કે, પ્રાથમિક સહકારી બેંક મહાનગરોમાં લોકોને પોતાના મકાનના રિનોવેશન માટે અથવા તો તેમાં ફેરફાર કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપી રહી છે.
RBIએ કરી મોટી જાહેરાત
ઘરનું રિનોવેશન કરાવવા માગતા લોકો માટે રાહત
10 લાખ સુધીની મળશે લોન
ભારતીય રિઝર્વ બેંકે કાલે કહ્યું હતું કે, પ્રાથમિક સહકારી બેંક મહાનગરોમાં લોકોને પોતાના મકાનના રિનોવેશન માટે અથવા તો તેમાં ફેરફાર કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપી રહી છે. આ નિર્ણય આરબીઆઈએ ફક્ત પ્રાથમિક સહકારી બેંકો માટે કર્યો છે. આરબીઆઈના આ નિર્ણયથી એ લોકોને રાહત મળશે, જે ઘરના રેનોવેશન માટે જેમ તેમ કરીને ક્યાંકથી પૈસાની વ્યવસ્થા કરતા હોય છે.
પહેલા 2 લાખ અને 5 લાખ સુધીની હતી મર્યાદા
આ અગાઉ આવી બેંકો માટે મકાન રેનોવેશન માટે લોનની મર્યાદામાં સંશોધન સપ્ટેમ્બર 2013માં કરવામા આવ્યું હતું. જે અંતર્ગત ગ્રામિણ તથા નાના એરિયામાં બે લાખ રૂપિયા અને શહેરી વિસ્તારમાં પાંચ લાખ રુપિયા સુધીની લોન લઈ શકાતી હતી.
જોઈ લો શું છે આરબીઆઈનો નિર્ણય
આરબીઆઈએ પ્રાથમિક સહકારી બેંક માટે જાહેર કરેલા પરિપત્રમાં કહ્યું કે, આવી લોનની મર્યાદા વધારીને 10 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. દશ લાખ રૂપિયાની મર્યાદા એ શહેરો અને કેન્દ્રોમાં છે, જ્યાં વસ્તી 10 લાખ અથવા તેનાથી વધારે છે. અન્ય કેન્દ્રો માટે આ મર્યાદા છ લાખ રૂપિયા છે.
ક્યા લોકોને થશે ફાયદો
આરબીઆઈના આ નિર્ણયથી એ લોકોને ફાયદો થશે, જે લોકો ઘરનું રિનોવેશન કરાવવા માગે છે. પણ તના માટે પુરતા પૈસા નથી. RBI આવા લોકોને મોટી રાહત આપી છે અને હવે બેંક તરફથી તેમને 10 લાખ રૂપિયાની લોન મળશે.