RBIનાં ડેટામાં જણાવવામાં આવ્યું છે કે 2016ની નોટબંધી બાદ માર્કેટમાં રોકડ ધનનો પ્રવાહ ડબલ થઇ ગયો છે.
નોટબંધી અંગે RBIનો એક ડેટા બહાર
2016 બાદ બજારમાં રોકડ નાણાંનો પ્રવાહ 2 ગણો
6 વર્ષ બાદ પણ આંકડાઓમાં વૃદ્ધિ
સૂત્રો અનુસાર RBIએ એક ડેટા જાહેર કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે 2016ની નોટબંધી બાદથી ભારતીય માર્કેટમાં રોકડ કેશનો પ્રવાહ ડબલ એટલે કે બેગણો થયો છે. એનો અર્થ એ થાય છે કે બજારમાં ચલણી નોટોની ઓછપ પડશે નહીં. રોકડ પૈસાનો પ્રવાહ આશરે 2 ગણો વધ્યો છે. ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમ ડેવેલોપ થયાં છતાં પણ આજે લોકો રોકડનો ઉપયોગ કરી રહ્યાં છે.
નોટબંધીનાં 6 વર્ષ બાદ ભારતીય અર્થવ્યવસ્થામાં રોકડનો પ્રવાહ બેગણો થઇ ગયો છે. નાણા મંત્રાલયે આજે સંસદને જણાવ્યું કે આ વર્ષ માર્ચમાં કુલ રોકડનું મૂલ્ય 2016ની સરખામણીમાં 89% વધીને 31,05,721 કરોડ રૂપિયા થયું છે.
Cash circulation in market almost doubled since 2016 demonetisation: RBI data
2022માં રોકડનું પ્રચલન 44% વધ્યું
મંત્રાલય દ્વારા આજે લોકસભામાં આ અંગે માહિતી આપવામાં આવેલ આંકડાઓ અનુસાર માર્ચ 2022માં નોટોનાં પ્રચલનની સંખ્યાનાં સંદર્ભમાં રોકડ 44% વધીને 1,30,533 મિલિયન થઇ ગયેલ છે. મંત્રાલયે પ્રશ્નનો જવાબ આપતાં જણાવ્યું કે 2016માં રોકડ રૂપિયાનું મૂલ્ય16,41,571 કરોડથી 20% જેટલું ઘટીને 2017માં 13,10,193 કરોડ રૂપિયા થઇ ગયું હતું. જો કે 2018થી તમામ વર્ષોમાં આંકડાઓમાં વૃદ્ધિ જ જોવા મળી છે.