ભારતીય રિઝર્વ બેંક RBI દ્વારા રેપો રેટમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે RBI દ્વારા જીડીપીનું અનુમાન ઘટાડવામાં આવ્યું છે. RBI દ્વારા રેપો રેટ ઘટાડવામાં ન આવતા 5.15 ટકા રહેશે. 3 ડિસેમ્બરના રોજ ધિરાણ નીતિ સમિતિની બેઠક શરૂ થઇ હતી, આજે રેપોરેટની જાહેરાત કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે 9 વર્ષનો સૌથી ઓછો રેપો રેટ હાલમાં છે. માર્ચ 2019 પછી રેપો રેટ સૌથી નીચેના સ્તર પર જોવા મળ્યો છે. રિવર્સ રેપો રેટ 4.90 ટકા જ્યારે બેંક રેટ 5.40 ટકા પર છે.
RBI એ રેપો રેટ અને રિવર્સ રેપોરેટમાં કોઇ બદલાવ કર્યો નહીં
RBI એ GDP નું અનુમાન ઘટાડયુ
હાલમાં 9 વર્ષનો સૌથી ઓછો રેપો રેટ
જીડીપીએ ઘટાડયું અનુમાન
રેપો રેટના નિર્ણયની સાથે RBI એ ભારતના GDP ગ્રોથ ઘટવાનું અનુમાન લગાવ્યું છે. RBI ના જણાવ્યા અનુસાર 2019-20 દરમિયાન GDP માં હજી ઘટાડો જોવા મળશે જે 6.1 ટકાથી ઘટીને 5.0 ટકા સુધી જવાની સંભાવના છે. જેને લઇને ભારતીય અર્થ વ્યવસ્થાને ઝટકો લાગી શકે છે.
4.5 ટકા પર ભારતની GDP
આ અગાઉ જારી કરવામાં આવેલા ઘરેલુ ઉત્પાદન GDP ના આંકડાથી અર્થવ્યવસ્થામાં સુસ્તી થવાના સંકેત મળી રહ્યાં છે. જુલાઇ-સપ્ટેમ્બર, 2019 ના ત્રિમાસિક દરમિયાન ભારતનો આર્થિક વિકાસ દર ઘટીને 4.5 ટકા થઇ ગયો, જે અંદાજે સાડા 6 વર્ષ ના નિચલા સ્તર પર છે. આ સતત 6ઠ્ઠો ત્રિમાસિક છે જેમાં GDPમાં સુસ્તી જોવા મળી છે.
2019માં રેપો દર કુલ 1.35 ટકા ઘટયો
ડિસેમ્બર, 2018માં શક્તિકાંત દાસના ગર્વનર પદ સંભાળ્યા બાદથી RBIએ દર MPC બેઠક માં રેપો રેટમાં ઘટાડો કર્યો છે. જો કે આ વખતે તેમાં કોઇ ફેરફાર કર્યો નથી. 2019માં છ વખત થયેલી બેઠકમાં કુલ 1.35 ટકા ઘટાડો થયો છે.
રેપો રેટ ઘટવાની હતી આશંકા
પહેલા એવુ અનુમાન લગાવામાં આવ્યું હતું કે RBI દ્વારા ધિરાણ નીતિ સમિતિ (MPC) ની બેઠકમાં રેપો રેટમાં 0.25 બેઇઝ ઘટાડીને 4.90 કરવામાં આવી શકે છે.
શું છે રેપોરેટ?
રેપો રેટના આધાર પર RBI બેંકોને લોન આપતી હોય છે. જો રેપો રેટમાં થયેલા ઘટાડાનો ફાયદો બેંક તમારી સુધી પહોંચાડે છે તો આમ જનતાને તેનો ફાયદો થાય છે. એટલા માટે કેમ કે RBI દ્વારા રેપો રેટ ઘટાડાના કારણે બેંકો પર વ્યાજ દરમાં ઘટાડાનું દબાણ રહેતું હોય છે. જેના કારણે લોકોને લોન સસ્તામાં મળે છે. જો કે બેંક ક્યારે અને કેટલો ઘટાડો કરશે તે તેના પર નક્કી છે.