ભારતમાં હવે ઉદ્યોગપતિઓને પોતાની બેંક ખોલવાની છૂટ આપવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. રિઝર્વ બેંકની સમિતિ દ્વારા આ મુદ્દે ભલામણ કરાઈ છે.
રિઝર્વ બેંકની સમિતિએ કરી ભલામણ
ઉદ્યોગપતિઓને પોતાની બેંક ખોલવાની છૂટ આપવા પર વિચારણા
RBI આ ભલામણને મંજૂરી આપે તો ઉદ્યોગપતિઓને મળી જશે છૂટ
રિઝર્વ બેંકની સમિતિએ કરી ભલામણ
રિઝર્વ બેંક હવે ઉદ્યોગપતિઓને બેંક ખોલવાની મંજૂરી આપવા પર વિચાર કરી રહી છે. જો બધું ઠીક રહ્યું તો આવનાર સમયમાં દેશમાં મોટા ઉદ્યોગપતિઓ પ્રાઈવેટ બેંકના પ્રમોટર બની શકશે. રિઝર્વ બેંકની એક સમિતિએ કહ્યું છે કે મોટી કંપનીઓ અને ઔદ્યોગિક પરિવારોને બેંકના પ્રમોટર બનાવવાની મંજૂરી આપવી જોઈએ. ભારતીય રિઝર્વ બેંકની સમિતિએ સાથે એમ કહ્યું કે પ્રાઈવેટ બેંકમાં પ્રમોટર્સની ભાગીદારી જે હાલમાં 15 ટકા છે તે વધારીને 26 ટકા કરવામાં આવી શકે છે.
કેટલાય મુદ્દાઓ પર મંથન કરાયું
સમિતિએ મોટી કંપનીઓ અને ઔદ્યોગિક પરિવારોને બેંક પ્રમોટર બનાવવા માટે ભલામણ કરી છે અને જો સમિતિની આ ભલામણને RBIની મંજૂરી મળી જાય છે તો મોટા ઉદ્યોગપતિઓ પોતાની બેંક ખોલી શકશે.
RBI પાસેથી મંજૂરી લેવી જરૂરી
આ સાથે જ સમિતિએ કહ્યું કે 50 હજાર કરોડ રૂપિયા ને તેનાથી વધારે સંપત્તિ ધરાવતા પ્રાઈવેટ કંપનીઓને બેંકમાં બદલવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. સમિતિએ એમ પણ ભલામણ કરી છે કે યુનિવર્સલ બેન્કિંગ માટે નવા બેંક લાયસન્સ માટે ન્યૂનતમ પ્રારંભિક મૂડી 500 કરોડ રૂપિયાથી વધારે એક હજાર કરોડ રૂપિયા હોવી જોઈએ.