તાજેતરમાં, માર્ચથી 100 રૂપિયા સહિત જૂની ચલણી નોટો બંધ થઈ જવાના સમાચારો આવ્યા છે, ત્યારબાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ સોમવારે આ અંગે સ્પષ્ટતા આપી છે.
રૂ.5, 10 અને 100 ની નોટ બંધ થવાનો મેસેજ થયો વાયરલ
RBIએ કહ્યું- હાલ કોઇ યોજના નથી
PIB ફેક્ટ ચેકમાં મેસેજ ખોટો હોવાનો થયો ખુલાસો
કેન્દ્રીય બેંકે એક ટ્વિટમાં સ્પષ્ટતા કરી છે કે રૂ.5, 10 અને 100 ની નોટ ચલણમાંથી બહાર હોવાના મીડિયા અહેવાલો ખોટા છે અને આરબીઆઈ પાસે આવું કરવાની કોઈ યોજના નથી.
With regard to reports in certain sections of media on withdrawal of old series of ₹100, ₹10 & ₹5 banknotes from circulation in near future, it is clarified that such reports are incorrect.
આ સાથે જ PIB દ્વારા કરવામાં આવેલ ફેક્ટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)દ્વારા જૂની નોટોમાં 100, 10 અને 5 રૂપિયાની નોટો પાછી ખેંચવાનો મોટો નિર્ણય લેવામાં મેસેજ વાયરલ થયો હતો તે પીઆઇબી ફેક્ટ ચેકમાં ખોટું હોવાનો ખુલાસો થયો છે.
एक खबर में दावा किया जा रहा है कि आरबीआई द्वारा दी गई जानकारी के अनुसार मार्च 2021 के बाद 5, 10 और 100 रुपए के पुराने नोट नहीं चलेंगे।#PIBFactCheck: यह दावा #फ़र्ज़ी है। @RBI ने ऐसी कोई घोषणा नहीं की है। pic.twitter.com/WiuRd2q9V3
શુક્રવારે, આરબીઆઈના સહાયક જનરલ મેનેજર બી મહેશે જાહેરાત કરી કે સેન્ટ્રલ બેંક માર્ચ અથવા એપ્રિલ સુધીમાં 100, 10 અને 5 રૂપિયાની જૂની સિરીઝ પરત ખેંચવાનો વિચાર કરી રહી છે. આરબીઆઈની આ જાહેરાત બાદ આ જૂની નોટોનું ચલણ સામાન્ય લોકોની બહાર રહેશે.
વાયરલ થયેલા મેસેજમાં લખ્યું હતું કે, લોકો પાસેથી આ જૂની નોટો પાછી ખેંચવા અંગે બી મહેશે જણાવ્યું હતું કે આરબીઆઈ માર્ચ અથવા એપ્રિલ સુધીમાં આ નોટો પાછી ખેંચવાની યોજના ધરાવે છે. આરબીઆઈ દ્વારા આ નોટો પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યા બાદ નેત્રાવતી હોલમાં જિલ્લા લીડ બેંક દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની સુરક્ષા સમિતિ (DLMC)અને જિલ્લા કક્ષાની ચલણ વ્યવસ્થાપન સમિતિ (DLMC)ની બેઠકમાં સહાયક જનરલ મેનેજર બી.મહેશે આ વાત કહી હતી.
બી મહેશે જણાવ્યું હતું કે 10 રૂપિયાના સિક્કાની રજૂઆતના 15 વર્ષ પછી પણ વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ આ સિક્કા સ્વીકાર્યા નથી. જે બેંકો અને આરબીઆઈ માટે સમસ્યા બની છે. તેમણે કહ્યું કે, "બેંકોએ લોકોને સિક્કાની માન્યતા અંગે અફવાઓ ફેલાવવાની જાણકારી આપવી જોઈએ. આ સાથે, બેંકે લોકોમાં 10 રૂપિયાના સિક્કાને પ્રોત્સાહન આપવાના માર્ગો શોધી કાઢવા જોઈએ.