ભારતીય રિઝર્વ બેન્કે તમામ બેન્કોને કહ્યું છે કે તે એટીએમમાં ફેલ ટ્રાન્ઝેક્શન્સ, બેલેન્સ ઇન્કવાયરી અથવા ચેકબુક રિક્વેસ્ટ જેવા નોન કેશ ટ્રાન્ઝેક્શન્સને લોકોને દર મહીને મળતા 5 ફ્રી ટ્રાન્ઝેક્શન્સમાં ન ગણવામાં આવે.
આરબીઆઇએ તમામ અનુસૂચિત વેપારી, સહકારી અને ગ્રામીણ બેન્કોમાં સર્કુલરમાં કહ્યું, ' અમારા ધ્યાનમાં આવ્યું છે કે એટીએમમાં કરન્સી ન હોવા અથવા ટેક્નિકલ કારણોથી ફેલ થતા ટ્રાન્ઝેક્શન્સને પણ ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શન્સમાં ગણી લેવામાં આવે છે.' આ ટ્રાન્ઝેક્શન્સને ફેલ ટ્રાન્ઝેક્શન્સ માનવા જોઇએ અને તેના પર કોઇપણ પ્રકારનું ચાર્જ વસુલવો ન જોઇએ.
આરબીઆઇ (RBI), ' અહીં એ સ્પષ્ટ કરવામાં આવે છે કે જે પણ ટ્રાન્ઝેક્શન્સ ટેક્નિકલ કારણો, કોઇ કારણથી બેન્ક દ્વારા ટ્રાન્ઝેક્શન્સથી મનાઇ કરવી, એટીએમમાં રોકડ ન હોવી, ઇનવેલિડ પિન, વેલિડેશન વગેરેને વેલિડ એટીએમ ટ્રાન્ઝેક્શન્સના રૂપે ગણવામાં આવશે નહીં.'
આરબીઆઇએ કહ્યું કે આ સિવાય, નૉન કેશ વિથડ્રોલ ટ્રાન્ઝેક્શન્સ જેવા બેલેન્સ ઇન્કવાયરી, ચેકબુક રિક્વેસ્ટ, ટેક્સ પેમેન્ટ, ફન્ડ ટ્રાન્સફર પણ ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શન્સનો ભાગ નથી.