RBI દ્વારા NACHમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવા ફેરફાર પ્રમાણે હવે પગારદારોને શની રવી આવે તો સોમવાર સુધીની રાહ નહી જોવી પડે. 1 ઓગ્સટથી આ ફેરફાર અમલમાં મુકવામાં આવશે
પગારદારો માટે રાહતના સમાચાર
હવે વિકેન્ડ આવે તો સોમવાર સુધી પગારની રાહ નહી જોવી પડે
1 ઓગસ્ટથી નવા નિયમો લાગૂ કરવામાં આવશે
પગાર, પેન્શન અને EMI પેમેન્ટને લઈને હવે તમને રજાના દિવસો નહી નડે. RBI દ્વારા National Autometed clearing House એટલે કે (NACH)ના નિયમોમાં હવે ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફરોને 1 ઓગસ્ટથી લાગૂ કરવામાં આવશે. નવા નિયમોમાં શની રવીના દિવસોમાં પણ તમારો પગાર નહી અટકે તમને હવે શની રવી રજાના દિવસોમાં પણ પગાર મળી જશે.
RBI ગર્વનરે આપી રાહત
ઘણી વખત એવુ થતુ હોય છે કે મહિનાની પહેલી તારીખ શની રવીમાં આવે. જેના કારણે પગારદારોને સોમવારની રાહ જોવી પડે છે. પરંતુ આ મામલે હવે RBI ગર્વનર શક્તિકાંત દાસ દ્વારા પગારદારોને તેમજ પન્શનરોને ફાયદો થાય તેવો નિયમ અમલમાં મુકવામાં આવ્યો છે.
1 ઓગસ્ટથી અમલમાં
ગત જૂન મહિનામાં આરબીઆઈ દ્વારા નવી પોલીસી લાગૂ કરવામાં આવી હતી. જે પોલીસી અંતર્ગત હવે ગ્રાહકોને સપ્તાહના બધાજ દિવસોમાં લાભ આપવામાં આવશે. NACH અત્યારે દરેક બેંકોમાં ચાલુ દિવસોમાં ઉપલબ્ધ છે. પરંતુ હવે તે રજાના દિવસે પણ લાગૂ કરવાનો પ્રસ્તાવ મૂકી દેવામાં આવ્યો છે. જે પ્રસ્તાવ 1 ઓગ્સટથી અમલમાં આવશે.
રજાના દિવસોમાં પણ સુવિધા યથાવત
NACH એક બલ્ક પેમેન્ટ સિસ્ટમ છે. જેને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સંચાલિત કરે છે. NACH દ્નારા સેલરી પેન્શન સીવાય પણ ઘણા બલ્ક પેમેન્ટ કરવામાં આવતા હોય છે. તે સિવાય ઈલેક્ટ્રીસીટી બિલ, ગેસ બિલ, ટેલીફોન બીલ, EMI, મ્યુચ્યુઅલ ફંડ વેગેરે જેવી સુવીધા પણ NACH અંતર્ગત આવે છે. હવે આ સુવીધા ગ્રાહકો માટે રજાના દિવસોમાં પણ અમલમાં મુકવામાં આવી છે.
કોરોનાકાળમાં NACH મદદરૂપ
સમગ્ર મામલે RBIએ કહ્યું કે NACH સુવીધા લાભાર્થીઓ માટે ડિજિટલ મોડ તરીકે ઘણું આગળ વધ્યું છે. કોરોનાકાળમાં પણ NACH સુવીધા લોકોને ઘણી કામ લાગી છે. વર્તમાનમાં આ સુવીધા માત્ર એજ દિવસોમાં મળે છે જે દિવસોમાં બેંકો કાર્યરત હોય છે. પરંતું હવે આ સુવીધા રજાના દિવસોમાં પણ 1 ઓગસ્ટથી અમલમાં રહેશે.