ભારતીય રિઝર્વ બેંક (RBI)એ બુધવારે જૂના સિક્કા અને નોટની ખરીદી તથા વેચાણને લઈ લોકો માટે એક જરૂરી એલર્ટ જારી કર્યું છે. ચાલો જાણીએ.
જો તમે પણ વેચી રહ્યા છો જૂના સિક્કા કે નોટ તો થઈ જાઓ સાવધાન
RBIએ જૂના સિક્કા અને નોટને લઈ એક જરૂરી એલર્ટ જારી કર્યું
RBIએ ટ્વિટ કરી લોકોને ચેતવ્યા
ચેતવણી આપતા RBIએ કહ્યું છે કે છેતરપિંડી કરનારા કેટલાક તત્વો ઓનલાઇન, ઓફલાઇન પ્લેટફોર્મ પર જૂની બેંક નોટ અને સિક્કાના વેચાણ માટે કેન્દ્રીય બેંકના નામ અને લોગોનો ઉપયોગ કરી રહ્યાં છે. હકીકતમાં છેલ્લા થોડા દિવસોથી જૂના સિક્કા તથા નોટની ખરીદી તથા વેચાણને લઈને ઘણાં સમાચારો સામે આવી રહ્યાં છે, જેને કારણે RBIએ આ એલર્ટ જારી કર્યું છે.
રિઝર્વ બેંકે એક ટ્વિટ જારી કરીને કહ્યું કે, ભારતીય રિઝર્વ બેંકના ધ્યાનમાં એ વાત આવી છે કે કેટલાક તત્વો ખોટી રીતે ભારતીય રિઝર્વ બેંકના નામ અને લોગોનો ઉપયોગ કરી રહ્યાં છે અને વિવિધ ઓનલાઇન, ઓફલાઇન પ્લેટફોર્મના માધ્યમથી જૂની બેંક નોટ અને સિક્કાઓને વેચવા માટે લોકો પાસેથી ચાર્જ કે કમીશન અથવા તો ટેક્સ માંગી રહ્યાં છે.
રિઝર્વ બેંકે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ પ્રકારની કોઈ પણ ગતિવિધિમાં સામેલ નથી અને આ પ્રકારના ટ્રાન્ઝેક્શન માટે કોઈ પાસેથી કોઈ ચાર્જ કે કમીશન ક્યારેય નથી માંગ્યુ. સાથે જ બેંકે કહ્યું કે તેણે કોઈ સંસ્થા કે વ્યક્તિને આ પ્રકારની ગતિવિધિઓ માટે કોઈ પ્રકારની ઓથોરિટી નથી આપી.
RBIની કોઈની સાથે કોઈ ડીલ નથી
ભારતીય રિઝર્વ બેંક આ પ્રકારના મામલામાં ડીલ નથી કરતી અને ક્યારેય આ પ્રકારના ચાર્જ કે કમીશન માંગતી નથી. ભારતીય રિઝર્વ બેંકે કોઈ સંસ્થા, કંપની કે વ્યક્તિ વગેરેને આ પ્રકારના ટ્રાન્ઝેક્શન પર RBI તરફથી ચાર્જ કે કમીશન લેવાની ઓથોરિટી નથી આપી. ભારતીય રિઝર્વ બેંક સામાન્ય લોકોને આ પ્રકારના છેતરપિંડી કરનારા અને નકલી ઓફર્સમાં ફસાઈ ન જવાની સલાહ આપે છે.