ભારતીય રિઝર્વે બેંકે ગુરૂવારે જાણકારી આપી હતી કે, કોલ્હાપુરની સુભદ્રા લોકલ એરિયા બેંકનું લાયસન્સ કેન્સલ કરી દીધું છે. બેંકના સંચાલનમાં ચાલી રહેલી ગોલમાલને પગલે RBI દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
RBIએ રદ્દ કર્યું કોલ્હાપુરની લોકલ એરિયા બેંકનું લાયસન્સ,
ડિપોઝિટર્સને મળે માત્ર 5 લાખ
બેંક સંચાલનમાં ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ
ઉલ્લેખનીય છે કે, RBIએ આ બેંકનું લાયસન્સ બેંકિગ રેગ્યુલેશન એક્ટ 1949ના સેક્સન 22,4 હેઠળ કેન્સલ કર્યું છે. આ અંગે આરબીઆઇએ જણાવ્યું કે, સુભદ્રા બેંકમાં એવા અનેક કામો થતાં હતા જે ડિપોઝીટર્સના વર્તમાન અને ભવિષ્ય માટે બરાબર નહોંતા. ત્યારે બેંકને ચાલુ રાખવી એ પબ્લિકને નુકસાન પહોંચાડ્યા બરાબર છે.
બેંકિંગ અને અન્ય કારોબાર કરવા પર પ્રતિબંધ
આરબીઆઈએ આ મહિનામાં મહારાષ્ટ્રની મુશ્કેલીમાં મુકેલી કરાડ બેંક (Karad Janta Sahakari Bank) નું લાઇસન્સ પણ રદ કર્યું હતું. હવે સુભદ્રા બેંકને લઈને કેન્દ્રીય બેંકનું કહેવું છે કે ગયા નાણાકીય વર્ષના છેલ્લા બે ક્વાર્ટરમાં આ બેંકે લઘુત્તમ ચોખ્ખી કિંમતની શરતોનું ઉલ્લંઘન કર્યું છે. આ બેંક પાસે થાપણદારોને પરત કરવા માટે પૂરતી મૂડી નથી. હવે લાઇસન્સ રદ થયા પછી, આ બેંક કોઈપણ પ્રકારનું બેંકિંગ અથવા અન્ય વ્યવસાય કરી શકશે નહીં.
થાપણદારોને પૈસા પરત કરવા માટે બેંક પાસે પૂરતી મૂડી છે
આરબીઆઈએ કહ્યું કે, આ બેંકના સંચાલનની કામગીરીને જોતા, એમ કહી શકાય કે થાપણદારોના વર્તમાન અને ભાવિ પર વિપરિત અસર પડશે. લાઇસન્સ રદ કર્યા પછી, આરબીઆઈ હવે હાઇકોર્ટમાં અરજી કરશે. જો કે, આરબીઆઇએ એમ પણ કહ્યું હતું કે હાલમાં સુભદ્રા લોકલ એરિયા બેંક પાસે તમામ થાપણદારોને ચૂકવણી કરવા માટે પૂરતી મૂડી છે.
ડિપોઝિટર્સને પરત મળશે 5 લાખ રૂપિયાની રકમ
આપને જણાવી દઇએ કે, બેંક બંધ થવાથી ડિપોઝિટર્સને પોતાની રકમ પરત આપવાનું આયોજન છે. ડિપોઝિટ ઇન્સ્યુરન્સ એન્ડ ક્રેડિટ ગેરેંટી કોર્પોરેશન (DICGC) આ સુનિશ્ચિત કરે છે. DICGCના નિયમો અનુસાર આ મર્યાદા ફક્ત 5 લાખ રૂપિયા સુધીની છે. મતલબ કે બેંક બંધ થયા પછી થાપણદારો વધુમાં વધુ 5 લાખ રૂપિયા પાછા મેળવી શકે છે.