RBIએ કહ્યું કે પુણેની શિવાજીરાવ ભોસલે સહકારી બેંક ચાલુ રહે તે ખાતેદારોના હિતમાં નથી તેથી તેનું લાયસન્સ રદ્દ કરાયું છે.
RBIએ પુણેની શિવાજીરાવ ભોસલે સહકારી બેંકનું લાયસન્સ રદ્દ કર્યું
બેંક પાસે પૂરતી પૂંજી અને કમાણીની શક્યતાઓ નહીંવત
બેંકિંગ વિનિયમન 1949ના આધારોનું પાલન થતું નથી.
RBIએ પુણેની શિવાજીરાવ ભોસલે સહકારી બેંકનું લાયસન્સ રદ્દ કર્યું છે. તેનું કારણ બેંકની પાસે પૂરતી પૂંજી અને કમાણીની શક્યતાઓ નહીંવત હોવાનું આપવામાં આવ્યું છે. RBIએ સોમવારે આ જાણકારી આપી છે. તેમાં કહેવાયું છે કે બેંકે જે આંકડા આપ્યા છે તેના અનુસાર 98 ટકા જમાકર્તાઓને જમા વીમા અને ઉધાર ગેરેંટી નિગમે તેની જમા રાશિના બદલામાં પૂરા રુપિયા મળશે.
શું કહ્યું RBIએ
દરેક જમાકર્તા ડીઆઈસીજીસીથી 5 લાખ રૂપયાની સીમા સુધીની જમા રાશિના બદલામાં જમા વીમાનો દાવો પ્રાપ્ત કરવાનો હકદાર રહેશે. આ વિશે જાણકારી આપતા RBIએ કહ્યું છે કે બેંકની પાસે પૂરતી પર્યાપ્ત પૂંજી અને કમાણીની શક્યતા નથી અને સાથે તે બેંકિંગ વિનિયમન અધિનિયમ 1949ના કેટલાક નિયમોનું પાલન કરી રહી નથી.
સંપૂર્ણ પેમેન્ટ કરી શકવાની સ્થિતિમાં નથી બેંક
કેન્દ્રીય બેંકના અનુસાર બેંકના ચાલુ રહેવા માટે તેના જમાકર્તાના હિતમાં નથી. બેંકની જે નાણાંકીય સ્થિતિ છે તેનાથી તે હાલના જમાકર્તાને સંપૂર્ણ પેમેન્ટ કરવામાં અસમર્થ છે. બેંકનું લાયસન્સ રદ્દ કરવાના આદેશ સોમવારે કારોબાર સમાપ્ત થયાના સમયમાં આવ્યો હતો. મહારાષ્ટ્ર સહકારી સમિતિથી બેંકને બંધ કરવાના અને અન્ય આદેશને પણ જાહેર કરવાનો આગ્રહ કરાયો હતો.