RBIએ મહારાષ્ટ્રના ડો. શિવાજીરાવ પાટિલ નિલંગેકર અર્બન કો ઓપરેટિવ બેન્ક લિમિટેડનું લાયસન્સ રદ્દ કરી દીધુ છે.
RBIએ આજના દિવસે લીધા બે મોટા નિર્ણય
RBIએ માસ્ટરકાર્ડ પર રોક લગાવી
RBIએ રદ્દ કર્યુ બેન્કનું લાયસન્સ
RBIએ મહારાષ્ટ્રના ડો. શિવાજીરાવ પાટિલ નિલંગેકર અર્બન કો ઓપરેટિવ બેન્ક લિમિટેડનું લાયસન્સ રદ્દ કરી દીધુ છે. RBIએ આ નિર્ણય બેન્કની ખરાબ નાણાકીય હાલતના કારણે લીધો છે. લાયસન્સ રદ્દ કરવાની સાથે જ બેન્કે જમા લેવા અને પેમેન્ટ કરવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે દેશમાં ખેતી અને ગ્રામીણ વિસ્તારો માટે શાખા-સુવિધાઓ ઉપલબ્ધ કરાવનાર સહકારી બેન્કોની સ્થાપના રાજ્ય સહકારી સમિતિ અધિનિયમ અનુસાર કરવામાં આવે છે. તેનુ રજીસ્ટ્રેશન રજીસ્ટ્રાર ઓફ કો-ઓપરેટિવ સોસાયટીની પાસે કરવામાં આવે છે. હાલના સમયમાં 1482ને કો ઓપરેટિવ બેન્કોમાં લગભગ 8.6 કરોડ રોકાણકારોના 4.84 લાખ કરોડ રૂપિયા જમા છે.
RBIએ રદ્દ કર્યુ બેન્કનું લાયસન્સ
RBIનું કહેવું છે કે મહારાષ્ટ્રના ડો. શિવાજીરાવ પાટિલ નિલંગેકર અર્બનને ઓપરેટિવ બેન્ક લિમિટેડનું લાયસન્સ રદ્દ કર્યું છે. બેન્ક ચાલુ રહે તે તેના રોકાણકારો માટે સારી વાત નથી. જો બેન્કને પોતાના બેન્કિંગ બિઝનેસને વધુ આગળ લઈ જવાની પરવાનગી આપવામાં આવે તો તેનાથી લોકોના પૈસા પર નેગેટિવ અસર થશે. લાયસન્સ રદ્દ કરવાની સાથે જ બેન્કને જમા રકમ સ્વીકારવા અને ચુકવણી પર પણ રોક લગાવી દેવામાં આવી છે.
RBIએ ક્યારે અને કેમ રદ્દ કર્યુ લાયસન્સ
એક્સપર્ટ્સ જણાવે છે કે RBI મોટાભાગે બેન્કો પર દંડ લગાવે છે. પરંતુ અમુક પરિસ્થિતિમાં ગ્રાહકોની સુરક્ષાના હિત માટે આ લાયસન્સ પણ રદ્દ કરવું પડશે. આરબીઆઈના જણાવ્યા અનુસાર બેન્ક ચાલુ રહે તે જમાકર્તાઓના હિતમાં નથી. બેન્ક પોતાની ખરાબ નાણાકીય સ્થિતિના કારણે હાલના જમાકર્તાઓને પુરી ચુકવણી કરવામાં અસમર્થ રહેશે.
RBIએ માસ્ટરકાર્ડ પર રોક લગાવી
ભારતીય રિઝર્વ બેંકે માસ્ટરકાર્ડ એશિયા પેસિફિક પર કડક કાર્યવાહી કરી રહ્યું છે અને તેને નવા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ તથા પ્રીપેડ કાર્ડને જાહેર કરવા માટે રોક લગાવી છે. રિઝર્વ હેંકે આ એક્શન માસ્ટરકાર્ડની તરફથી જાહેર કરાયેલા આંકડાના નિયમોના પાલન ન કરવા માટે લીધું છે. રિઝર્વ બેંકની કાર્યવાહીની અસર ભારતમાં ડિજિટલી થઈ રહેલી બેંકિંગ વ્યવસ્થા પર પડવાની શક્યતા છે. કેમકે માસ્ટર કાર્ડ આ ક્ષેત્રમાં એક નવો ખેલાડી છે.
માસ્ટર કાર્ડ પર નવા કાર્ડ ઈશ્યૂ કરવાને લઈને પ્રતિબંધ 22 જુલાઈથી લાગૂ થશે. RBIએ આ કાર્યવાહી માસ્ટરકાર્ડની તરફથી પેમેન્ટ સિસ્ટમ ડેટાના સ્ટોરેજની સાથે જોડાયેલા નિયમોનું ઉલ્લંઘન કરવાના કારણે કરવામાં આવી છે. આરબીઆઈએ કહ્યું છે કે પેમેન્ટ સિસ્ટમ ડેટાના સ્ટોરેજની સાથે જોડાયેલા નિયમોનું પાલન કરવા માટે પૂરતો સમય છે અને તેને અવસર આપવામાં માસ્ટર કાર્ડ અસફળ રહ્યું છે. RBIએ કાર્યવાહી પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ એક્ટના સેક્શન 17ના આધારે કરાઈ છે.
હાલના ગ્રાહકો પર નહીં થાય અસર
રિઝર્વ બેંકે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ પગલાથી માસ્ટરકાર્ડના હાલના ગ્રાહકો પર અસર થશે નહીં. માસ્ટરકાર્ડ દરેક કાર્ડ જાહેર કરનારી બેંક અને બિન બેંકને આદેશનું પાલન કરવાની સલાહ આપે છે. માસ્ટરકાર્ડ એક પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર છે. જે દેશમાં કાર્ડ નેટવર્કને ઓપરેટ કરે છે. તમને જણાવી દઈએ કે RBIએ થોડા મહિના પહેલા જ અમેરિકન એક્સપ્રેસ અને Diners Club International પર પણ આ નિયમોનુ ઉલ્લંઘન કરવાના કારણે નવા કાર્ડ જાહેર કરવા પર રોક લગાવી હતી.
શું છે RBIના નિયમ
RBIએ 6 એપ્રિલ 2018ના પેમેન્ટ સેવાઓ આપનારી કંપનીઓ, ફિનટેકને માટે ડેટા સ્ટોરેજ સાથે જોડાયેલા નિયમો જાહેર કર્યા હતા. આ નિયમોના આધારે દરેક પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર કંપનીને પેમેન્ટ ટ્રાન્ઝેક્શનની એન્ડ ટુ એન્ડ ડિટેલ્સ, દરેક જાણકારી, ગ્રાહકોના ડેટા વગેરે આંકડાને સ્ટોરેજ ફક્ત ભારતમાં કરવાનો હતો. આ નિયમને લાગૂ કરવા માટે કંપનીને 6 મહિનાનો સમય પણ અપાયો હતો. આ નિયમોનું પાલન Mastercard, American Express અને Visa જેવી કાર્ડ કંપનીની સાથે સાથે GPay, Amazon Pay, Phone-Pe જેવી ફિનટેક કંપનીઓએ પણ કરવાનું હતું.