નવી દિલ્હીઃ રિઝર્વ બેંક આજે ક્રેડિટ પોલિસીની જાહેરાત કરશે. જો મોઘવારી વધી તો રિઝર્વ બેંકની મોનિટરી પોલિસી કમિટી રેપો રેટમાં વધારો કરશે. રિઝર્વ બેંકના ગર્વનર ઉર્જિત પટેલ આજે બપોરે બે વાગે ક્રેડિટ પોલીસની જાહેરાત કરશે.
રિઝર્વ બેંકનું મુખ્ય કામ મોઘવારી પર નિયંત્રણ રાખવાનું છે. જો મોંઘવારી વધે તો રિઝર્વ બેંક વ્યાજદરોમાં વધારો કરે છે. વ્યાજદર વધે તો લોકો ખર્ચા પર અંકુશ લગાવી શકે છે. લોન મોંઘી થવાથી લોકો ખરીદી ઓછી કરશે. મોંઘવારી દર પર નજર કરવામાં આવે તો છેલ્લાં કેટલાંક સમયથી મોંઘવારી દર 5 ટકા છે. જ્યારે રિઝર્વ બેંકનો લક્ષ્યાંક મોંઘવારી દરને 4 ટકા બનાવી રાખવાનો છે.
બીજી તરફ સરકારે પાક પર એમ.એસ પી.માં પણ વધારો કર્યો છે. જેથી તેની અસર મોંઘવારી પર પડશે. ઈંધણ અને તેલના ભાવમાં પણ વધારો થયો છે જેની અસર પણ પડશે. જો મોનસૂનમાં યોગ્ય વરસાદ ન થયો તો સરકારે રાહતના પગલા લેવા પડશે. જેથી સરકારને નાણાભીડ રહેશે. આ કારણને લઈને પણ રિઝર્વ બેંક દરમાં વધારો કરી શકે છે.
જૂન પોલિસીમાં આરબીઆઇએ અનુમાન લગાવ્યું હતું કે આ નાણાકિય વર્ષમાં સીપીઆઇ ઇમ્ફ્લેશન એપ્રિલ-સપ્ટેમ્બર વચ્ચે 4.8-4.9 ટકા અને ઓક્ટોબર-માર્ચની વચ્ચે 4.7 ટકા રહી શકે છે. તેણે કેન્દ્ર સરકારના કર્મચારીઓના એચઆરએથી પડનારી અસરને આમાં સામેલ કરી હતી અને મોંઘવારી માથું ઉચકે તેવો અંદાજ લગાવ્યો હતો.
રૂપિયો તુટતાથી પણ મોંઘવારીને જોર મળે તેવી સ્થિતી બની રહી છે કારણ કે માર્કેટમાં કરન્સી સપ્લાઇ વધી રહી છે. 20 જુલાઇએ ડોલરના મુકાબલે 69.13ના રેકોર્ડ લો પર ચાલ્યો ગયો હતો. આ કેલેન્ડર વર્ષમાં રૂપિયો 7% વધુ નીચો આવ્યો છે.