RBIએ બેંકોને કહ્યું કે, કોઇ પણ એટીએમ ત્રણ કલાકથી વધારે ખાલી ના રહે. જો કોઇ એટીએમમાં કેશ ખતમ થઇ જાય તો બેંકોને ત્રણ કલાકની અંદર એટીએમમાં નોટ ભરવાની રહેશે. સૂત્રો અનુસાર આવું ન કરવા પર બેંકોને દંડ પણ લગાવી શકાય છે.
ન્યૂ દિલ્હીઃ જો દેખવામાં આવે તો લોકો બેંકનાં એટીએમમાંથી કેશ નિકાળવા જાય છે ત્યારે એટીએમ તેમને ઘણી વાર ખાલી મળતુ હોય છે. એક બાદ અનેક એટીએમમાં ભટકવા પર પૈસા નથી મળતા. અનેક વાર તો એટીએમમાં અનેક-અનેક દિવસો સુધી No Cashનાં બોર્ડ લાગેલા મળતા હોય છે. લોકોની સમસ્યાઓને જોતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI)એ આ મામલે કડક વલણ અપનાવવાનો નિર્ણય કર્યો છે.
RBIએ બેંકોને કહ્યું કે, કોઇ પણ એટીએમ ત્રણ કલાકથી વધારે ખાલી ના રહેવું જોઇએ. જો કોઇ એટીએમમાં કેશ ખતમ થઇ જાય તો બેંકોએ ત્રણ કલાકની અંદર જ તે એટીએમમાં નોટ ભરવાની રહેશે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર તેવી બેંકો પર દંડ પણ થઇ શકે છે.
બેંકિંગ સેક્ટરનાં એક્સપર્ટ્સનું માનવું એમ છે કે એટીએમમાં કેશ ભરવામાં બેંક અનેક વાર લાપરવાહી પણ કરે છે. જો કે, બેંકોનાં ઉચ્ચ અધિકારીઓનું કહેવું એમ છે કે એટીએમમાં કેશનો ફ્લો બરાબર ચાલી રહેલ છે. છેલ્લાં દિવસોમાં એટીએમમાં કેશ ન હોવાની ફરિયાદો પણ આવી હતી, તેનું મુખ્ય કારણ બેંકોની પાસે પર્યાપ્ત માત્રામાં કેશ ન હોવી.
ફેડરેશન ઓફ એટીએમ ઇન્ડસ્ટ્રીઝનું કહેવું એમ છે કે RBIએ બેંકોનાં એટીએમ અપગ્રેડ કરવાનું કહ્યું છે. આનાંથી બેંકોનો ખર્ચ પણ વધ્યો છે. એટીએમ ઓપરેટનો ખર્ચ વધવાથી બેંકોએ અનેક એટીએમ પણ બંધ કરી રાખ્યાં છે.
એટીએમમાં લાગેલ સેન્સર જણાવે છે, કેશ કેટલી છે!
કોઇ એટીએમમાં કેશ છે અથવા તો નથી, બેંકોને આની જાણકારી મળતી રહે છે. એટલું જ નહીં, એટીએમમાં કેટલી કેશ છે અને કેટલી વારમાં તે ખાલી થઇ શકે છે તેનો પણ અંદાજો બેંકોને રિયલ ટાઇમ બેસિસ પર લાગતુ રહે છે. હકીકતમાં એટીએમમાં એવા સેન્સર લાગેલા હોય છે કે જે જણાવે છે કે કેશ ટ્રેમાં કેટલી નોટો છે. નોટોની માત્રમાં બેંકોને ખ્યાલ આવતો રહે છે કે કેટલાં સમયમાં નોટો ભરવાની જરૂરિયાત છે.