ભારતીય રિઝર્વ બેંકે (RBI) ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે, 50 પૈસાથી લઇને 10 રૂપિયા સુધીના દરેક સિક્કા માન્ય છે અને ચલણમાં છે.
જો આ સિક્કા સ્વીકારવાનો બેંક સહિત કોઇ પણ ઇનકાર કરી શકે નહી. બેંકોને સખ્ત નિર્દેશ આપતા રિઝર્વ બેંકે કહ્યું કે, તેમની શાખાઓમાં આવા તમામ સિક્કા સ્વીકાર કરવામાં આવે.
રિઝર્વ બેંકે જારી કરેલા સર્ક્યૂલરમાં કહ્યું કે, એવી ખબરો છે કે લોકોને કેટલાક ભાગોમાં આ વિશે સંદેહ છે કે આ સિક્કા સાચા છે કે નહી. જેના કારણે કેટલાક વેપારીઓ, દુકાનદારો અને સામાન્ય લોકો સિક્કા લેવાની અચકાય છે. આ કારણે દેશના ઘણાં ભાગોમાં સિક્કાનું કોઇ અડચણ વગર સર્ક્યૂલેશન અને ઉપયોગ નથી થઇ રહ્યો.
નોટ અને સિક્કાના એક્સચેન્જની સુવિધા વિશેના એક સર્ક્યૂલરમાં RBIએ કહ્યું કે, કોઇ પણ બેંક પાતાની બ્રાંચના કાઉન્ટર પર નાના સિક્કાઓ સ્વીકારવાનો ઇનકાર કરી શકે નહી. રિઝર્વ બેંકે નોટિફિકેશન દ્વારા તમામ બેંકોને કહ્યું કે, તમને ફરીવાર સલાહ આપવામાં આવે છે કે, તમારી તમામ શાખાઓને તત્કાલ નિર્દેશ આપો કે તેઓ તમામ મુલ્યના સિક્કા પોતાના કાઉન્ટર પર લેણદેણ અથવા વિનિમય માટે સ્વીકાર કરે અને તે સુનિશ્ચિત કરે તેને કડક રીતે પાલન થાય.
નોંધનીય છે કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને આ વિશે વારંવાર ફરિયાદો મળી રહી છે કે, બેંકની શાખાઓ સિક્કા નથી લઇ રહી, જેના કારણે લોકોને ઘણી અસુવિધા થઇ રહી છે.