RBIએ બેંક અને નોન બેંકિંગ કંપનીઓને આદેશ આપ્યા છે કે તેઓ ગયા વર્ષના 6 મહિનાની મુદત સમયે લેવાયેલા વ્યાજ પરના વ્યાજને રિફંડ કરે.
લોન મોરેટોરિયમનો ફાયદો લેનારા માટે ખાસ સમાચાર
RBIએ બેંક અને નોન બેંકિંગ કંપનીઓને આદેશ આપ્યા
રિફંડ થશે વ્યાજ પર લેવાયેલું વ્યાજ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) એ બેંકો અને નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFC) એ ગયા વર્ષના છ મહિનાના મુદત ગાળા દરમિયાન લીધેલા વ્યાજ પરના લેણદાતાઓના વ્યાજ પરના ગોઠવણ માટે તેમના નિયામક મંડળ દ્વારા માન્ય નીતિને મંજૂરી આપવા જણાવ્યું છે. ગયા મહિને લીધેલા નિર્ણયમાં વ્યાજ પર વ્યાજ લેવાનું બંધ કર્યું હતું. સર્વોચ્ચ અદાલતના આ નિર્ણયનું પાલન કરવા માટે રિઝર્વ બેંકે બેંકોને રિફંડ પોલિસી બનાવવા કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંકે ગયા વર્ષે કોરોના મહામારીના કારણે ઉધાર લેનારાના રાહત પેકેજ આપતા તેમની લોનના હપ્તા ભરવાને લીને રોક લગાવી હતી. ઉધાર લેનારાને એક માર્ચથી લઈને 31 મે સુધી રાહત આપ્યા બાદ ફરીથી મુદત વધારીને 31 ઓગસ્ટ સુધીની રાહત અપાઈ હતી.
રિફંડ થશે વ્યાજ પર લેવાયેલું વ્યાજ
રિઝર્વ બેંકે આ મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્ણયને માન્ય રાખીને બુધવારે એક નિયમ બહાર પાડ્યો છે જેમાં કહ્યું છે કે દરેક ઉધાર લેનાર સંસ્થા શક્ય તેટલું જલ્ગી નિદેશ મંડળની મંજૂરી પ્રાપ્ત કરે અને એક રિફંડ, એડજેસ્ટમેન્ટ પોલીસીને અમલમાં લાવે. આ રિફંડ નીતિના આધારે 1 માર્ચથી લઈને 31 ઓગ્સ્ટ 2020 સુધીની રોક સમયના ઉધાર લેનારા પર લગાવાયેલા વ્યાજ પરના વ્યાજને રિફંડ કે એડજેસ્ટ કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ પર લગાવી હતી રોક
સુપ્રીમ કોર્ટે 23 માર્ચ 2021ના રોજના એક નિર્ણયમાં કહ્યું હતું કે 6 મહિનાની રોક સમયમાં કોઈ પણ દંડાત્મક કે ચક્રવૃદ્ધિ વ્યાજ લેવામાં આવશે નહીં. બેંક અને સંસ્થા જો પહેલા પણ વ્યાજ વસૂલી રહી છે તો આવનારા હપ્તામાં તેને એડજેસ્ટ કરાશે અથવા તેનું રિફંડ આપવામાં આવશે.
6 મહિનાથી વધારે લોન મોરેટોરિયમ વધારવાથી થશે આ અસર
આરબીઆઈએ સપ્ટેમ્બર 2020માં સુપ્રીમ કોર્ટે એક નિયમ જાહેર કર્યો જેમાં કહેવાયું હતું કે લોન મોરેટોરિયમને 6 મહિનાથી વધારે સમય સુધી વધારવા માટે ઓવરઓલ ક્રેડિટ ડિસિપ્લીન ખતમ થઈ શકે છે અને તેનાથી અર્થવ્યવસ્થા પર ખરાબ અસર થઈ શકે છે. સરકારે કહ્યું હતું કે મોરેટોરિયમના 6 મહિનાના સમયે 2 કરોડ રૂપિયા સુધીની લોનની ઈએમઆઈ પર લાગતું વ્યાજનો ભાર કેન્દ્ર ઉઠાવશે.