આરબીઆઈનો પ્રતિબંધ સહન કરી રહેલી ખાનગી સેક્ટરની લક્ષ્મી વિલાસ બેંકનો એક નવો પ્લાન સાર્વજનિક થયો છે. આશા છે કે જલ્દી એક પ્લાનના માધ્યમથી લક્ષ્મી વિલાસ બેંકની આર્થિક સ્થિતિ સુધરી જશે. જાણો શું છે પ્લાન...
ડીબીએસ બેંક સાથે મર્જરની યોજના
ડીબીએસ બેંક 2500 કરોડ રુપિયા લગાવશે
કેન્દ્રીય બેંકે કહ્યું કે આ ઉપરાંત બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી
ડીબીએસ બેંક સાથે મર્જરની યોજના
હકિકતમાં આરબીઆઈએ લક્ષ્મી વિલાસને ડીબીએસ બેંકની સાથે મર્જર ડ્રાફ્ટ યોજનાને સાર્વજનિક કરી છે. આ યોજના હેઠળ સિંગાપુરની ડીબીએસ બેંક પોતાના ભારતીય બેંકમાં 2500 કરોડ રુપિયા ખર્ચ કરશે. ડીબીએસ બેંક ભારતમાં વર્ષ 1994થી સક્રિય છે.
આરબીઆઈએ શુ કહ્યું
આરબીઆઈએ કહ્યું કે મર્જર યોજનાને મંજૂરી મળતા આની પ્રક્રિયાને આગળ વધારતા ડીબીએસ બેંક ઈન્ડિયા લિ.( ડીબીઆઈએલ) માં સિંગાપુરના ડીબીએસ બેંક 2500 કરોડ રુપિયા (46.3 કરોડ સિંગાપુર ડોલર) લગાવશે. આ નાણા પોષણ પુરી રીતે ડીબીએસમાં રહેલા સંસાધનોથી કરવામાં આવશે.
ઉલ્લેનીય છે કે થાપણદારોને તબીબી સારવાર, ઉચ્ચ શિક્ષણની ફી ચુકવણી અને લગ્ન ખર્ચ જેવા હેતુઓ માટે ભારતીય રિઝર્વ બેંકની પરવાનગી સાથે 25,000 થી વધુની કેશ વધુ ઉપાડવાની મંજૂરી આપવામાં આવશે, એમ મંત્રાલયે જણાવ્યું હતું. સૂત્રો ની માહિતી અનુસાર સરકારે આ પગલું RBI ની સલાહ બાદ ભર્યું છે.
કેમ લીધો નિર્ણય
ભારતીય રિઝર્વ બેંકના જણાવ્યાનુંસાર બેંક તરફથી વિશ્વસનીય પુનરોદ્ધાર યોજના રજુ કરવાની સ્થિતિમાં થાપણદારોના હિતમાં આ નિર્ણય લીધો છે. સાથે બેંકિંગ અને નાણા સેક્ટરની સ્થિતિના હિતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. કેન્દ્રીય બેંકે કહ્યું કે આ ઉપરાંત બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. આ સાથે કેનરા બેંકના પૂર્વ ગેર કાર્યકારી ચેરમેન ટી. એન. મનોહરણને લક્ષ્મી વિલાસ બેંકના વ્યવસ્થાપર નિયુક્ત કરવામાં આવ્યા છે.
94 વર્ષ જૂની બેંક છે
ઉલ્લેખનીય છે કે લગભગ 94 વર્ષ જૂની લક્ષ્મી વિલાસ બેંક (એલવીબી)ના મેનેજમેન્ટમાં ઉથલ પાથલની શરુઆત ઘણા લાંબા સમયથી થઈ રહી હતી. બેંક છેલ્લા કેટલાક સમયથી ધન ભેગુ કરવાનો પ્રયાસ કરી રહી હતી. પણ અસફળ રહી. બિન બેંકિંગ કંપની ઈન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ કંપનીમાં મર્જરનો પ્રસ્તાવ આરબીઆઈએ 2019માં ફગાવી દીધો હતો.