મ્યુચ્યુઅલ ફંડ્સ પર લિક્વિડિટી પ્રેશર ઓછું કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) એ આજે મ્યુચ્યુઅલ ફંડ્સ માટે રૂ. 50,000 કરોડની વિશેષ લિક્વિડિટી સુવિધાની જાહેરાત કરી છે. કેન્દ્રીય બેંકે કહ્યું છે કે તે કોરોના વાયરસના આર્થિક પ્રભાવને ઘટાડવા અને નાણાકીય સ્થિરતા જાળવવા માટે દરેક જરૂરી પગલા લેશે.
RBIએ લીધા આ પગલાં
મ્યુચ્યુઅલ ફંડ માટે જાહેર કર્યું 50,000 કરોડ રૂપિયાનું પેકેજ
કોરોના વાયરસના આર્થિક પ્રભાવને ઘટાડવા લેવાયા પગલા
આ માટે લેવાયું પગલું
ગયા અઠવાડિયે ભારતની આઠમી સૌથી મોટી મ્યુચ્યુઅલ ફંડ કંપની, ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડએ સ્વેચ્છાએ તેની છ લોન યોજનાઓ બંધ કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ રાહત આપવા માટે કેન્દ્રીય બેંકે આ પગલું ભર્યું હતું. કોરોના વાયરસ રોગચાળાને કારણે બોન્ડ માર્કેટમાં યુનિટ પાછું ખેંચવાનું દબાણ અને પ્રવાહિતાના અભાવને ટાંકીને ફ્રેન્કલિન ટેમ્પલટોને આમ કર્યું છે.
With a view to easing liquidity pressures on Mutual Funds, it has
been decided to open a special liquidity facility for mutual funds of Rs 50,000 crores. RBI shall conduct repo operations of 90 days
tenor at the fixed repo rate: Reserve Bank of India (RBI) pic.twitter.com/0DnCb07bMG
જોકે એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એએમએફઆઈ) એ રોકાણકારોને ખાતરી આપી છે કે સંપત્તિના સંચાલન હેઠળ નિશ્ચિત આવકના મ્યુચ્યુઅલ ફંડ્સમાં મોટાભાગના રોકાણ ઉચ્ચ ગુણવત્તાની સિક્યોરિટીઝમાં કરવામાં આવે છે. આ યોજનાઓમાં પૂરતી તરલતા છે, જે સામાન્ય કામગીરીની ખાતરી આપે છે. એમ્ફીએ રોકાણકારોને તેમના રોકાણ લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખવા અને તેમના નાણાકીય સલાહકારના સંપર્કમાં રહેવા જણાવ્યું છે.
જે યોજનાઓ બંધ થઈ છે તેમાં ફ્રેંકલીન ઈન્ડિયા લો ડ્યુરેશન ફંડ, ફેંકલીન ઈન્ડિયા ડાયનેમિક એક્યુરલ ફંડ, ફ્રેંકલીન ઈન્ડિયા ક્રેડિટ રિસ્ક ફંડ, ફ્રેંકલીન ઈન્ડિયા શોર્ટ ટર્મ ઈનકમ પ્લાન, ફ્રેંકલીન ઈન્ડિયા અલ્ટ્રા શોર્ટ બોન્ડ ફંડ અને ફેંકસીન ઈન્ડિયા ઈનકમ અપોચ્યુનિટી ફંડ સામેલ છે.