નાણા મંત્રી નિર્મલા સીતારમણ મંગળવારે ભારતીય રિઝર્વ બેન્કના કેન્દ્રીય નિદેશક મંડળની બેઠકમાં શામેલ થશે. આ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાશે.
બેઠકમાં શહેરી સરકારી બેંકોના મામલામાં સમાધાન માટે ઉપાય સૂચવશે
સમિતિને પોતાની રિપોર્ટ આરબીઆઈને 3 મહિનામાં આપવાની
સમિતિમાં નાબાડના પૂર્વ ચેરમેન હર્ષ કુમાર ભાનવાલા પણ સામેલ થશે
બેઠકમાં શહેરી સરકારી બેંકોના મામલામાં સમાધાન માટે ઉપાય સૂચવશે
ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ શહેરી સરકારી બેંકને મજબૂત બનાવવા માટે દ્રષ્ટિકોણ પત્ર તૈયાર કરવાને લઈ સોમવારે એક સમિતિ ગઠિત કરી છે. આરબીઆઈના પૂર્વ ડેપ્યૂટી ગવર્નર એન. એસ. વિશ્વનાથનની અધ્યક્ષતામાં થનારી શહેરી સરકારી બેંકોના મામલામાં સમાધાન માટે ઉપાય સૂચવશે. સાથે ક્ષેત્રમાં તેમની મજબૂત સ્થિતિ માટે તેમની શક્યતાઓનું આકલન કરશે.
સમિતિને પોતાની રિપોર્ટ આરબીઆઈને 3 મહિનામાં આપવાની
સમિતિને સોંપવામાં આવેલા નિયમ તથા શરતો અનુસાર તેમના એક ગતિશીલ અને મજબૂત શહેરી સરકારી બેંકોના ક્ષેત્ર માટે દ્રષ્ટિકોણ પત્ર તૈયાર કરવાનો છે. આ તમામ સહયોગની સાથે સાથે જમાકર્તાઓના હિતો અને પ્રણાલી સાથે જોડાયેલા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે. સમિતિને પોતાની રિપોર્ટ આરબીઆઈને 3 મહિનામાં આપવાની છે.
સમિતિમાં નાબાડના પૂર્વ ચેરમેન હર્ષ કુમાર ભાનવાલા પણ સામેલ થશે
8 સભ્યોની સમિતિમાં નાબાર્ડ(રાષ્ટ્રીય કૃષિ તથા ગ્રામીણ વિકાસ બેંક) ના પૂર્વ ચેરમેન હર્ષ કુમાર ભાનવાલા પણ સામેલ થશે. સમિતિ હાલના નિયામકીય અને નિગરાની વ્યવસ્થાની પણ સમીક્ષા કરશે અને ક્ષેત્રને મજબૂત બનાવવા માટે સૂચન આપશે.
નાણામંત્રી આરબીઆઈના કેન્દ્રીય નિદેશક મંડળની બજેટ બાદ પહેલી બેઠક સંબોધિત કરશે. આ કેન્દ્રીય બેંકને નિર્દેશકોના બજેટની મૂળ ભાવના, મુખ્ય દિશા અને રાજકોષીય સ્થિતિ મજબૂત કરવાની યોજનાઓની જાણકારી આપી શકે છે.
બજેટમાં રાજકોષીય ખોટ જીડીપીના 6.8 ટકા રહેવાનો અંદાજ
સીતારમણે પહેલી ફેબ્રુઆરીએ પ્રસ્તુત 2021-22 ના બજેટમાં રાજકોષીય ખોટ જીડીપીના 6.8 ટકા રહેવાનો અંદાજ છે. આ ખોટ માર્ચ 2026માં સમાપ્ત નાણા વર્ષ સુધી 4.5 ટકા પર લાવવાનું લક્ષ્ય છે. કોવિડ 19ના કારણે ચાલૂ નાણા વર્ષમાં રાજકોષીય ખોટ જીડીપીના 9.5 ટકા સુધી પહોંચવાનો અંદાજ છે. બજેટમાં આવનારા નાણા વર્ષ દરમિયાન 12 લાખ કરોડ રુપિયાનું બજારમાં લોન લેવાનો લક્ષ્ય છે.