ભારતીય રિઝર્વ બેન્કે એક નવી રીતે બેન્કની સાથે થતી છેતરપિંડીને લઈ ચેતવણી આપી છે. જેમાં UPIના માધ્યમથી ગ્રાહકોના બેન્ક ખાતાઓમાં પૈસા ચાઉં થઈ શકે છે. જે લોકો છેતરપિંડી આચરવાનું કામ કરે છે તેમના માટે આ ખુબ જ સરળ રસ્તો છે.
કેવી રીતે થઈ શકે છે છેતરપિંડી ?
પીડિત પાસેથી એક એપ AnyDesk ડાઉનલોડ કરી તેને મેસેજ કરાય છે. ત્યારબાદ હેકર્સ પીડિતના મોબાઈલ પર આવનારા 9 ડિઝીટ કોડના માધ્યમથી તેના ફોનને રિમોટ કરી લે છે. RBIએ એડવાઈઝરીમાં કહ્યુ છે કે જેવી રીતે હેકર્સ આ એપ કોડ પોતાના મોબાઈલ ફોનમાં નાંખે છે. તે પીડિત પાસે કેટલીક પરમિશન માંગે છે આ એટલુ સામાન્ય હોય છે કે છેતરપિંડીનો ભોગ બનનારને આની ખબર સુધ્ધા પડતી નથી.
તમને ખબર પણ નથી પડતી અને તમારા ખાતામાંથી ટ્રાન્ઝેક્શન થઈ જાય છે. RBIએ એલર્ટ કરતા કહ્યુ કે તમે જે મોબાઈલમાં સામાન્ય રીતે મોબાઈલ બેન્કીગ એપ કે કોઈ પેમેન્ટ સબંધિત વોલેટનો ઉપયોગ કરો છો. તો UPIથી ખુબ જ સરળતાથી છેતરપિંડી થઈ શકે છે.
દેશમાં ઓનલાઈન પેમેન્ટ માટેની એપલીકેશનમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. કોઈને લાઈનમાં ઉભા રહ્યા વગર એક બટન દબાવીને કામ કઢાવી લેવું છે. ત્યારે આરબીઆઈએ આ અલર્ટ જાહેર કર્યુ છે. UPI દ્વારા કોઈપણ શખ્સ તમારા કરોડો રૂપિયા તફડાવી શકે છે.