PIBની ફેક્ટ ટીમે તપાસમાં કહ્યું છે કે વિદેશી નાગરિકોના માટે નોટબંધીમાં બંધ થયેલી 500 અને 1000 રૂપિયાની ભારતીય નોટને બદલવાની સીમા 2017માં ખતમ થઈ ચૂકી છે. વાયરલ મેસેજ ખોટો છે.
નોટબંધીને લઈને સોશ્યલ મીડિયામાં વાયરલ થયો મેસેજ
જાણો શું છે વાયરલ મેસેજની સચ્ચાઈ
પીઆઈબીએ વાયરલ મેસેજનું કર્યું છે ખંડન
નોટ બદલવાને લઈને કોઈ સીમા વધારાઈ નથી
સોશ્યલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે
ખોટી સૂચના અને ભ્રામક જાણકારી કે કોઈ અફવાના કારણે ઝડપથી વધારે લોકો સુધી જાણકારી ફેલાય તો સરકાર અને સિસ્ટમને માટે તેની સામે લડવું, તેનું ખંડન કરવું અને લોકો સુધી સાચી જાણકારી પહોંચાડવાનું મુશ્કેલ બને છે. નોટબંધીના 4 વર્ષ બાદ હવે સોશ્યલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. કહેવાઈ રહ્યું છે કે નોટબંધીમાં બંધ થયેલી 500 અને 1000 રૂપિયાની જૂની નોટને બદલવાની સમયસીમા વધારવામાં આવી છે. આ સુવિધા વિદેશી પર્યટક માટે છે. ઉલ્લેખનીય છે કે દેશના કેન્દ્રીય બેંક એટલે કે ભારતીય રિઝર્વ બેંકના લેટરહે઼ પર આ માટેની ટાઈપ કરેલી સૂચના છે.
વાયરલ લેટરમાં શુ છે
સોશ્યલ મીડિયા પર એક લેટર વાયરલ થઈ રહ્યો છે. RBIના લેટરહેડ પરની સૂચનાના આઘારે 2016માં થયેલી નોટબંધી સમયે બંધ થયેલી કરંસી બદલવાને માટે સરકારની તરફથી એક અવસર આપવામાં આવી રહ્યો છે. તેમાં કહેવાયું છે કે નોટબંધીમાં બંધ થયેલી જૂની નોટને બદલવાની સમયસીમા વધારાઈ છે.
જાણો શું છે વાયરલ મેસેજની સચ્ચાઈ
વર્ષ 2016માં 8 નવેમ્બરની રાતે 8 વાગે પીએમ મોદીએ દેશને સંબોધન કરતા નોટબંધીની જાહેરાત કરી હતી. Demonetization ની જાહેરાતમાં તેઓએ 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવા કહ્યું, આ પછી લાંબા સમય સુધી નોટ બદલવાનો અવસર પણ અપાયો. આ સીમા બંધ થયે પણ વર્ષો થઈ ચૂક્યા છે. RBI ની વેબસાઈટ પર પણ શોધવા છતાં આ સમય સીમા વધારવાને લઈને કોઈ મેસેજ મળી રહ્યો નથી કે કોઈ અપડેટ કે ગાઈડલાઈનના આદશ મળી રહ્યા નથી. જે રીતે લેટર સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તે રીતે જાહેર છે કે આવો કોઈ નિર્ણય લેવાયો નથી.
A #FAKE order issued in the name of @RBI claims that the exchange facility for Indian demonetized currency notes for foreign citizens has been further extended. #PIBFactCheck
The exchange facility for Indian demonetized currency notes for foreign citizens ended in 2017. pic.twitter.com/kSCCIJCDNR
PIBએ પણ કર્યું છે ખંડન
સરકારી સૂચના એજન્સી PIBની ફેક્ટ ટીમે કહ્યું કે જે અફવા વાયરલ થઈ રહી છે તેને વિશે સરકાર કે સિસ્ટમની પાસેથી માહિતિ લેવામાં આવી છે. PIBની ટીમે કહ્યું કે વાયરલ મેસેજ ખોટો છે. PIBએ ટ્વિટ કરીને કહ્યું કે નોટબંધીમાં બંધ થયેલી કરંસીને બદલવાની સમયસીમા વધારાઈ નથી. વિદેશી નાગરિકોની વાત કરીએ તો PIBએ કહ્યું કે આ લોકો માટે પણ નોટ બદલવાની સમય સીમા 2017માં ખતમ થઈ ગઈ છે. જાહેર છે કે સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલો લેટર ખોટો છે. દેશમાં નોટબંધી ઈતિહાસ બની ગયો છે તો નોટને બદલવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. તપાસમાં આ દાવો ખોટો પૂરવાર થયો છે.