હાલમાં બજારોમાં ઘણાં વેપારીઓ 10 રૂપિયાનાં સિક્કા લેતા નથી. ત્યારે હવે RBI દ્વારા 10 રૂપિયાનાં સિક્કાને લઈને આદેશ આપવામાં આવ્યાં છે. આ આદેશ પ્રમાણે જો કોઈ વેપારી બેંક અથવા વ્યક્તિ 10 રૂપિયાનો સિક્કો લેવાની ના પાડશે તો તેમની સામે પોલીસને જાણ કરો. મહત્વનું છે કે નોટબંધીને 2 વર્ષ થયાં છે. તેમ છતાં બજારોમાં સિક્કા લેવા માટે વેપારીઓ ના પાડે છે.
દેશનાં ઘણાં ભાગોમાં 10 રૂપિયાનાં સિક્કા બેંક અને વેપારીઓ લેતા નથી. બેંકમાં સિક્કા ન લેવામાં આવતા હોવાનાં વેપારીઓ દ્વારા બહાના કરવામાં આવે છે. આ પ્રકારની RBIમાં ઘણી ફરિયાદો થઈ છે. ત્યારે આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને RBI દ્વારા જરૂરી આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે હવે જે વેપારીઓ અથવા બેંક દ્વારા જો 10 રૂપિયા લેવા માટેની ના પાડવામાં આવે તો તેમની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ શકે છે.
સરકારનું પણ કહેવું એમ છે કે હાલમાં પણ આ સિક્કા માન્ય છે. દેશની રાજધાની દિલ્હીથી લગભગ 100 કિ.મી. દૂર રેવાડીમાં 10 રૂપિયાનો એક પણ સિક્કો સ્વીકારવામાં નથી આવી રહ્યો. ત્યારે રેવાડીથી દિલ્હી આવેલ કુલપ્રીતને જ્યારે શુક્રવારનાં રોજ ડીટીસી બસમાં એક કંડક્ટરે જ્યારે 10 રૂપિયાનો સિક્કો આપ્યો ત્યારે તેને તે સિક્કો લેવાની મનાઇ કરી.
જેને લઇને આ કુલપ્રીતનું કહેવું એમ છે કે રેવાડીમાં આ સિક્કાઓ નથી ચાલતા. જેથી તે આ નહીં સ્વીકારે. ત્યારે કંડક્ટર એ વાતને લઇને અડગ હતો કે આ સિક્કા માન્ય છે અને તેને લેવો જ પડશે. જેથી જો આ સિક્કાને લેવાની ના પાડવામાં આવે તો તેની સૂચના પોલીસને આપવામાં આવશે અને તેને 7 વર્ષની જેલ પણ થઇ શકે છે.
1 રૂપિયાનાં નાના સિક્કાઓનો પણ અસ્વીકારઃ
દિલ્હી એનસીઆરમાં પણ તમામ સિક્કાઓનો સરળતાથી સ્વીકાર કરવામાં નથી આવતો. દિલ્હીથી લઇને ગાજિયાબાદમાં રહેનાર મહિપાલ ભાટીનું કહેવું એમ છે કે દિલ્હીમાં તેને કોઇ દુકાનદારે એક રૂપિયાનો નાનો સિક્કો આપ્યો હતો.
તેને જ્યારે તે સિક્કાને અન્ય ઘણી બધી દુકાનોમાં આપવાની કોશિશ કરી પરંતુ તેને લેવા માટે સૌએ ના પાડી દીધી. ફળ વેચનારથી લઇને શાકભાજી વેચનાર તો એમ કહે છે કે 1 રૂપિયો ઓછો આપશો તો ચાલશે પરંતુ આ સિક્કો ના આપો.