રિઝર્વ બેંકે પોતાના ખજાનામાંથી મોદી સરકારને 1.76 લાખ કરોડ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. આરબીઆઇના આ નિર્ણયથી વિરક્ષ નારાજ છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રધાનમંત્રી અને નાણામંત્રીએ જે આર્થિક સંકટ પેદા કર્યું છે, એને તે લોકો જ પૂર્ણ કરી શકતા નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે હવે આરબીઆઇના ખજાનામાંથી ચોરી કામ આવશે નહીં. આ કોઇ ડિસ્પેન્સરીથી બેન્ડ એડ તોરીને ગોળીના ઘા પર લગાવવા જેવું છે, જે કામ આવશે નહીં.
PM & FM are clueless about how to solve their self created economic disaster.
Stealing from RBI won’t work - it’s like stealing a Band-Aid from the dispensary & sticking it on a gunshot wound. #RBILootedhttps://t.co/P7vEzWvTY3
તો બીજી બાજુ કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે શું આ સંયોગ છે કે આરબીઆઇ દ્વારા 1.76 લાખ કરોડ રૂપિયાના ઉધાર બજેટ ગણતરીમાં 'મિસિંગ' રકમમાં મેળ ખાય છે? શું આ નાણાકીય એકત્રીકરણનું પગલું છે? શું આ પૈસાનો ઉપયોગ ભાજપના નજીકના મિત્રોને બચાવવા માટે કરવામાં આવશે?
Modi 2.0 has converted the 'R' in RBI from 'Reserve' to 'Ravaged'!
Contingency Reserve of RBI meant for extreme financial emergencies & war-like situations is being used by BJP Govt to bury its monumental mess on economic front!
રણદીપ સુરેજવાલાએ કહ્યું કે મોદી 2.0 એ આરબીઆઇમાં 'R' ને 'રિઝર્વ' થી 'Ravaged' (બરબાદ)માં બદલી નાંખ્યું છે. આરબીઆઇના આકસ્મિક રિઝર્વનો ઉપયોગ અત્યધિક નાણાકીય આપાત સ્થિતિઓ અને યુદ્ધ જેવી સ્થિતિઓ માટે કરવામાં આવે છે. હવે એનો ઉપયોગ ભાજપ સરકાર આર્થિક મોર્ચા પર પોતાનો ગોટાળો રોકવા માટે કરી રહી છે. ભાજપે આરબીઆઇની સાખ ખતમ કરી નાંખી છે.