ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેને ડ્રાય ફ્રૂટ્સ ખાવાનો શોખ ન હોય, પરંતુ તેનું સેવન કરવાની રીતો વિશે જાણવું ખૂબ જ જરૂરી છે.
તમે પણ પાણીમાં પલાળીને ખાવ છો ડ્રાય ફ્રૂટ્સ?
જાણો તેના કારણે લાભ થાય છે કે નુકસાન
ડ્રાય ફ્રૂટ્સ કઈ રીતે ખાવા વધારે ફાયદાકારક?
ડ્રાય ફ્રૂટ્સ અને નટ્સને હેલ્ધી ડાયટમાં સામેલ કરવામાં આવે છે કારણ કે તેમાં હાઈ ન્યૂટ્રીશનલ વેલ્યુ હોય છે. તે ઘણા જરૂરી પોષક તત્વોનો રિચ સ્ત્રોત છે. તેનો ઉપયોગ કરવાની ઘણી રીતો હોઈ શકે છે. કેટલાક લોકો તેને તેના મૂળ સ્વરૂપમાં ખાવાનું પસંદ કરે છે. જ્યારે ઘણા લોકો એવા છે જેમને અખરોટને પલાળીને ખાવાનું અનુકૂળ લાગે છે. પરંતુ સવાલ એ થાય છે કે શું આ ડ્રાયફ્રુટ્સને પલાળીને ખાવા યોગ્ય છે?
ડ્રાય ફ્રૂટ્સને કઈ રીતે ખાવા જોઈએ?
શુ ડ્રાયફ્રુટ્સને તેના મૂળ સ્વરૂપમાં ખાવું યોગ્ય છે કે પલાળીને? સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું માનવું છે કે કેટલાકને કાચા ખાવા જોઈએ અને કેટલીકને પાણીમાં પલાળીને ખાવી જોઈએ. પિસ્તા, કાજુ, ખારેક અને ખજૂરને તેના મૂળ સ્વરૂપમાં ખાવું વધુ સારું છે. પરંતુ સૂકી દ્રાક્ષ, બદામ જેવા ડ્રાયફ્રૂટ્સ પલાળીને ખાઈ શકાય છે.
ડ્રાય ફ્રૂટ્સને પલાળીને ખાવાના ફાયદા
આપણે ઘણીવાર પલાળેલી બદામ ખાઈએ છીએ કારણ કે તે તેનું સેવન સરળ બનાવે છે. પરંતુ તમારે આમ કરવાથી થતા ફાયદાઓ વિશે પણ જાણવું જોઈએ. બદામની છાલમાં ટેનીન હોય છે જે પોષક તત્વોના ઓબ્ઝર્વેશનને અટકાવે છે. પલાળીને ખાવાની સ્થિતિમાં તેની છાલ અલગ થઈ જાય છે.
સૂકી દ્વાક્ષ સામાન્ય રીતે સીધી જ ખાવામાં આવે છે, પરંતુ જો તમે તેને પલાળીને ખાઓ તો તેમાં હાજર હાનિકારક પ્રિઝર્વેટિવ્સ દૂર થઈ જાય છે અને તમારા સ્વાસ્થ્યને કોઈ નુકસાન થતું નથી.
ડ્રાયફ્રૂટ્સને પલાળવાથી તેમાં હાજર ફાયટિક એસિડનું પ્રમાણ ઘટે છે અને તે પચવામાં સરળતા રહે છે.
અખરોટ અને બદામ જેવા ડ્રાય ફ્રૂટની તાસીર ગરમ હોય છે. ઉનાળાની ઋતુમાં તેનાથી નુકસાન થઈ શકે છે. પાણીમાં પલાળવાથી તેની ગરમી પાણીમાં ઓગળી જાય છે.
જો ઘણા ડ્રાયફ્રુટ્સને થોડા દિવસો સુધી પલાળી રાખવામાં આવે તો તે અંકુરિત થવા લાગે છે, તેના કારણે આ વસ્તુઓની ન્યૂટ્રિશનલ વેલ્યુ વધી જાય છે.
ડ્રાય ફ્રૂટ્સને પલાળીને ખાવાથી તેનો સ્વાદ સારો થાય છે. કારણ કે તેમાં પાણીનું પ્રમાણ વધે છે તેથી તેને ચાવવામાં સરળતા રહે છે. જે લોકોના દાંત નબળા હોય તેમણે બદામને પલાળીને ખાવી જોઈએ.