લસણને આયુર્વેદનો ખજાનો સમજવામાં આવે છે. કારણકે તેની મદદથી આપણે ઘણી ગંભીર બિમારીઓથી બચી શકો છો. ન્યુટ્રીશિયન એક્સપર્ટ પાસેથી જાણો કે તેના શુ-શુ ફાયદા છે.
લસણના સેવનથી ગંભીર બિમારીઓ આસપાસ પણ નહીં ફરકે
લસણને સવારે ભૂખ્યા પેટે ખાવુ કેમ ફાયદાકારક છે?
જાણીતા ન્યુટ્રીશિયન પાસેથી જાણો તેના ફાયદા
લસણ ખાવાથી બિમારીઓનુ જોખમ ટાળી શકાય
લસણ એક એવો મસાલો છે, જે ભારતના દરેક ઘરમાં હોય છે. જો શાકભાજી અથવા અન્ય રેસિપીમાં તેને મિલાવી દેવામાં આવે તો ટેસ્ટમાં વધારો થાય છે, લસણની તાસીર ગરમ હોય છે અને આ સાથે તેમાં ઘણા મહત્વના ન્યુટ્રીએન્ટ્સ હોય છે. જેનાથી બૉડી ઈમ્યુનિટી બુસ્ટ થાય છે. જેનાથી ઘણી બિમારીઓ અને સંક્રમણનુ જોખમ ટાળી શકાય છે. ભારતના જાણીતા ન્યુટ્રીશિયન નિષ્ણાંત મુજબ લસણને સવારે ભૂખ્યા પેટે ખાવુ જોઈએ. કારણકે તેનાથી ઘણા ફાયદા થઇ શકે છે.
ભૂખ્યા પેટે લસણ ખાવાના ફાયદા
કેન્સરથી બચાવ
લસણમાં એન્ટી ઑક્સિડેન્ટ, એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટી કાર્સિનોજેનિક પ્રોપર્ટી હોય છે, તેથી જો તમે સવારે ભૂખ્યા પેટે લસણ ચાવશો તો કેન્સરની બિમારી ઘણી હદ સુધી ટાળી શકાશે.
ડાયાબિટીસમાં ગુણકારી
લસણમાં એલિસિન નામનુ કમ્પાઉન્ડ હોય છે, જે બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓને દરરોજ સવારના સમયે ભૂખ્યા પેટે લસણની ચાર કળીઓ ખાવી જોઈએ.
ડિપ્રેશન થશે દૂર
માનસિક હેલ્થ માટે પણ લસણનુ સેવન જરૂરી છે, જેની મદદથી તમારું મન સંતુલિત રહે છે અને તેનાથી ડિપ્રેશન સામે લડવાની તાકાત મળે છે. સ્ટ્રેસથી બચવા માટે વારંવાર લસણ ખાવાની સલાહ આપવામાં આવે છે.