ભારતીય ક્રિકેટ ટીમનાં ખેલાડી રવિન્દ્ર જાડેજા હવે એકદમ ફીટ થઈ ગયાં છે અને ટૂંક સમયમાં તેઓ મેદાનમાં વાપસી કરવા જઈ રહ્યાં છે. સૌરાષ્ટ્ર ટીમ માટે રણજી ટ્રોફીની મેચ રમવા માટે પણ રવિન્દ્ર જાડેજા તૈયાર છે.
ખેલાડી રવિન્દ્ર જાડેજા હવે એકદમ ફીટ
ટૂંક સમયમાં કરી શકે છે મેદાનમાં વાપસી
સૌરાષ્ટ્રની ટીમ તરફથી રમશે રણજી ટ્રોફીની મેચ
ભારતીય ક્રિકેટ ટીમનાં ખેલાડી રવિન્દ્ર જાડેજા ઘાયલ થયાં હતાં જેના કારણે તેઓ છેલ્લા ઘણાં સમયથી મેચ નથી રમી શક્યાં. પરંતુ હવે તે મેદાનમાં વાપસી કરવા જઈ રહ્યાં છે . જાડેજાને હાલમાં ડજ ઑસ્ટ્રેલિયાની સામે થનારી ટેસ્ટ સીરીઝની 2 મેચો માટે ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યાં છે. આ પહેલાં જ તેઓ ગેમમાં વાપસી કરવા જઈ રહ્યાં છે.
સૌરાષ્ટ્રની ટીમ તરફથી રમશે મેચ
જાડેજા 24થી 27 જાન્યુઆરી સુધી સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રોફીના એલીટ ગ્રુપ Bમાં તમિલનાડુની સામે મેચ રમશે. આ મેચ ચેન્નઈનાં એમ.એ.ચિદંબરમ સ્ટેડિયમમાં રમવામાં આવશે. ત્યારબાદ ભારત અને ઑસ્ટ્રેલિયાની વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમશે. ભારત-ઑસ્ટ્રેલિયાની ટીમો 9 ફેબ્રુઆરી પહેલા ટેસ્ટ મેચ રમશે.
ફિટનેસ ટેસ્ટ કરવી પડશે પાસ
જાડેજાને ત્યારે જ સિલેક્ટ કરવામાં આવશે જ્યારે NCA તેમની ફિટનેસને પ્રમાણિત કરશે. માહિતી અનુસાર જાડેજા આ સપ્તાહની શરૂઆતમાં જ બેટિંગ અને બોલિંગ ફરીથી શરૂ કરી પરંતુ પ્રતિસ્પર્ધી ક્રિકેટ માટે તૈયાર છે કે નહીં તેના માટે તેમને ફિટનેસ ટેસ્ટ પાસ કરવું પડશે.
રવિન્દ્રે છેલ્લી મેચ હોન્ગકોંગ સામે રમી હતી
જાડેજાએ ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ હોંગકોંગની સામે દુબઈમાં રમી હતી. જાડેજા ભારત માટે 60 ટેસ્ટ મેચોમાં 2023 રન બનાવ્યાં છે. આ સાથે જ તેમણે 242 વિકેટો પણ લીધી છે. તેમણે 171 વનડે મેચોમાં 2447 રન બનાવ્યાં છે. આ ફોર્મેટમાં પણ તેઓએ 189 વિકેટો મેળવી છે.
પંતની ગેરહાજરીમાં જાડેજાની હાજરી જરૂરી
જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે નીચલા ક્રમ પર શાનદાર બેટિંગ કરે છે. રૂષભ પંતની ગેરહાજરીમાં નીચલા ક્રમમાં તેમના જેવા અનુભવી ખેલાડીનું હોવું આવશ્યક છે. તે રવિચંદ્રન અશ્વિન સાથે એક ખતરનાક સ્પિન જોડી પણ બનાવતાં નજરે પડે છે.