ગઈકાલની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને સતત બીજી વાર હારનો સામનો કરવો પડ્યો હતો, જેથી કેપ્ટન રવીન્દ્ર જાડેજા ગુસ્સામાં પણ જોવા મળ્યા હતા. જાણો તેમણે મેચ પૂરી થયા બાદ શું કહ્યું
CSKની સતત બીજી હાર
જાડેજાનો ફૂટ્યો ગુસ્સો
લખનૌએ 6 વિકેટથી મેળવી જીત
CSKની સતત બીજી હાર
IPL 2022ની 7મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે સીએસકેને 6 વિકેટથી માત આપી. CSKની આ સતત બીજી મેચમાં હાર છે. આ મેચમાં સીએસકે જીતની ઘણી નજીક હતી પરંતુ છેલ્લે બોલર્સને કારણે આ મેચ હારવી પડી. આ મેચમાં હારથી કેપ્ટન રવીન્દ્ર જાડેજા ખુશ નથી. તેમણે આ હારના જવાબદાર અમુક ખેલાડીઓને ગણાવતા પોતાનો ગુસ્સો જતાવ્યો છે.
CSKની હારથી ભડક્યા જાડેજા
CSKએ અત્યંત રોમાંચક મુકાબલામાં છેલ્લી ઓવરને કારણે હારનો સામનો કરવો પડ્યો. આ મેચમાં સીએસકેનાં બોલર્સ નાકામ રહ્યા. જાડેજા ફીલ્ડર્સનાં ખરાબ પ્રદર્શનથી નારાજ જોવા મળ્યા. જાડેજાએ મેચ બાદ સ્વીકાર કર્યું કે તેમને ખરાબ ફિલ્ડીંગનું પરિણામ ભોગવવું પડ્યું.
જાડેજાનો ગુસ્સો
જાડેજાએ કહ્યું કે અમારી શરૂઆત ઘણી સારી થઇ હતી પરંતુ મેચ જીતવા માટે ફિલ્ડીંગ કરતા કેચ મિસ થયા છે. અમે તે મોકાઓનો ફાયદો ઉઠાઈ શક્યા હોત. અમારે ભીના બોલ સાથે પણ પ્રેક્ટીસ કરવી પડશે. બેટ્સમેનનાં વખાણ કરતા તેમણે કહ્યું કે આગળના 6 બેટ્સમેનનું પદર્શન સારું રહ્યું. બોલિંગ માટે અમારે યોજનાઓને અમલમાં મુકવી પડશે. બોલર્સનાં ખરાબ પ્રદર્શનથી જાડેજા ખુશ ન હતા.
છેલ્લી ઓવરમાં બદલાઈ ગઈ મેચ
લખનૌ સુપર જાયન્ટ્સની ટીમને છેલ્લી બે ઓવરમાં 34 રનની જરૂર હતી. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સનાં શિવમ દુબેએ બોલિંગ કરી ત્યારે તેમના પહેલા જ બોલમાં આયુષ બદોનીએ છક્કો માર્યો હતો, જ્યાર બાદથી મેચ વધારે રોમાંચક બની ગઈ હતી. આવા સમયમાં 22 વર્ષના આયુષ બદોનીએ લખનૌની કિસ્મત પલટી નાંખી.
ચેન્નાઈએ પણ કર્યો રનનો વરસાદ
ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ઓપનિંગ કરવા ઉતરેલા રોબીન ઉથપ્પાએ માત્ર 25 બોલમાં જ ફિફ્ટી બનાવ્યા અને ટીમને મજબૂતી આપી. ઋતુરાજ ગાયકવાડ આ મેચમાં ફરી ફેલ થયા અને એક જ રન બનાવી શક્યા. આ સિઝનમાં પહેલી વાર રમી રહેલા મોઈન અલીએ 35 રન બનાવ્યા હતા.
ચેન્નાઈ માટે શિવમ દુબેએ પણ 49 રન બનાવ્યા. આખરે મહેન્દ્ર સિંહ ધોનીએ માત્ર 6 બોલમાં 16 રન બનાવ્યા અને ટીમનો સ્કોર 210 સુધી પહોંચાડવામાં મદદ કરી. આટલા મોટા સ્કોર બાદ પણ ચેન્નાઈ જીતી શકી નહી અને IPL 2022માં તેની આ સતત બીજી હાર હતી.