લગભગ પાંચ મહિના સુધી મેદાનમાંથી બહાર રહ્યાં બાદ ક્રિકેટમાં વાપસી કરી રહેલા રવિન્દ્ર જાડેજાએ આ પ્રદર્શન દ્વારા પોતે 100 ટકા ફિટ હોવાની જાહેરાત કરી છે.
રવિન્દ્ર જાડેજાએ રણજી ટ્રોફીમાં સારા પ્રદર્શનની સાથે વાપસીની કરી જાહેરાત
તામિલનાડુ સામે બીજી ઈનિંગમાં કહેર વરસાવતા 7 વિકેટ લીધી
સૌરાષ્ટ્રએ તામિલનાડુને 133 રન પર ઓલઆઉટ કર્યા
રવિન્દ્ર જાડેજાએ રણજી ટ્રોફીમાં સારા પ્રદર્શનની સાથે વાપસીની જાહેરાત કરી
ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીમાં હવે વધુ દિવસ વધ્યાં નથી અને ભારતીય ટીમ તેના માટે થોડા સમયમાં પોતાની તૈયારી શરૂ કરશે. આની પહેલા કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડને સારા સમાચાર મળ્યાં છે. ઘૂંટણની ઈજા અને સર્જરીને કારણે 5 મહિના સુધી મેદાનમાંથી બહાર રહેલા દિગ્ગજ ભારતીય ઓલરાઉન્ડરે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી પહેલા રણજી ટ્રોફીમાં સારા પ્રદર્શનની સાથે વાપસીની જાહેરાત કરી.
સૌરાષ્ટ્રએ તામિલનાડુને માત્ર 133 રન પર ઓલઆઉટ કર્યા
સૌરાષ્ટ્ર તરફથી રમતા રવિન્દ્ર જાડેજાએ તામિલનાડુ સામે ગુરૂવારે 26 જાન્યુઆરીએ બીજી ઈનિંગમાં કહેર વરસાવતા 7 વિકેટ લીધી. જાડેજાના આ પ્રદર્શનના દમ પર સૌરાષ્ટ્રએ તામિલનાડુને માત્ર 133 રન પર ઓલઆઉટ કર્યા. જાડેજાએ પહેલી ઈનિંગમાં પણ એક વિકેટ લીધી હતી. વિકેટથી વધુ જાડેજા માટે સૌથી મહત્વની પોતાની ફિટનેસ સાબિત કરવાની હતી અને તેમણે તે કરી. પહેલી ઈનિંગમાં ડાબોડી સ્પિનરે પરેશાની વગર 24 અને બીજી ઈનિંગમાં 17 ઓવર લીધી હતી.
બેટીંગમાં કોઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નથી
જો કે, બેટીંગમાં જાડેજા પહેલી ઈનિંગમાં કોઈ ખાસ અસર રાખી શક્યા નહોતા અને માત્ર 13 રન બનાવીને આઉટ થયા. હવે બીજી ઈનિંગમાં પોતાની ટીમને જીતાડવા માટે તેમની પાસે બેટીંગમાં પણ આવા પ્રદર્શનની આશા રહેશે. જાડેજાને સપ્ટેમ્બર 2022માં એશિયા કપ દરમ્યાન ઘૂંટણમાં ઈજા થઇ હતી, ત્યારબાદ તેમની સર્જરી થઇ હતી અને તેઓ મેદાનથી બહાર હતા.
ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમમાં મળી જગ્યા
રવિન્દ્ર જાડેજાને હવે ઓસ્ટ્રેલિયા સામે 9 ફેબ્રુઆરીથી શરૂ થતી ટેસ્ટ શ્રેણીની પહેલી બે મેચો માટે ભારતીય ટીમમાં જગ્યા મળી છે. જો કે, પસંદગીકારોએ સ્પષ્ટ કર્યુ હતુ કે તેમણે પહેલા પોતાની ફિટનેસ સાબિત કરવી પડશે.