ચેન્નઈ સુપર કિંગ્સનો કેપ્ટન બન્યા બાદ જાડેજાની પ્રતિક્રિયા
જાડેજાએ કહ્યું, ધોની મારી સાથે છે, ચિંતાની કોઈ વાત નથી
આમ તો જાડેજાએ ચેન્નઈના કેપ્ટન બન્યા બાદ તેની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. જાડેજાએ કહ્યું કે કેપ્ટનશિપ મળતા તેના પર કોઈ દબાણ નથી. કારણકે ધોની તેમની સાથે છે. રવિન્દ્ર જાડેજા સાથે પ્રેક્ટિસ દરમ્યાન કેપ્ટન બન્યા બાદ પહેલી પ્રતિક્રિયા માંગવામાં આવી. ચેન્નઈ સુપરકિંગ્સે જાડેજાનો વીડિયો ટ્વિટ કર્યો છે. જેમાં ચેન્નઈના નવા કેપ્ટને કહ્યું, હું સારું મહેસૂસ કરી રહ્યો છુ, પરંતુ મારે મોટી જવાબદારી નિભાવવાની છે. માહી ભાઈએ એક મોટી વિરાસત છોડી છે અને તેને લઇને મારે આગળ જવાનુ છે.
રવિન્દ્ર જાડેજાએ કહ્યું કે કેપ્ટનશિપ મળ્યાં બાદ તેમને કોઈ ટેન્શન નથી. કારણકે ધોની તેમની સાથે ઉભા છે. જાડેજાએ કહ્યું, મારે ચિંતા કરવાની જરૂર નથી. કારણકે ધોની અહીં જ છે. મારા મગજમાં જે પણ સવાલ હશે હું ધોનીની પાસે જતો હતો અને જતો રહીશ. તમારા લોકોના પ્રેમ માટે આભાર. જાડેજા કેપ્ટન બન્યા બાદ ચેન્નઈ સુપરકિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથને તેમને શુભેચ્છા આપી છે. વિશ્વનાથનને આશા છે કે રૈનાની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સ સારું પ્રદર્શન કરશે. સીએસકેના સીઈઓ મુજબ જાડેજા તેની કારકિર્દીના બેસ્ટ ફોર્મમાં છે અને ધોનીનુ માર્ગદર્શન તેમની સાથે છે.