ઓલરાઉન્ડર રવિન્દ્ર સિંહ જાડેજા ઇન્ગલેન્ડ વિરુદ્ધ ડોમેસ્ટિક ટેસ્ટ સિરીઝથી બહાર થઇ ગયા છે. સિડનીમાં ત્રીજી ટેસ્ટ દરમિયાન જમણા હાથના અંગુઠામાં ફ્રેક્ચર થયા બાદ ઓસ્ટ્રેલિયામાં જ તેની સર્જરી કરવામાં આવી હતી પરંતુ તેને સાજા થતાં છ અઠવાડિયાનો સમય લાગી ગયો હતો. જ્યારે ઇંગલેન્ડ વિરુદ્ધ 5 ફેબ્રુઆરીથી સિરીઝ શરૂ થઇ રહી છે.
રવિન્દ્ર સિંહ જાડેજા સિરીઝમાંથી બહાર
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે ટેસ્ટ સિરીઝ
ટી-20માંથી પણ બહાર થઇ જાય તેવી શક્યતા
ઇંગ્લેન્ડ વિરુદ્ધ ચાર ટેસ્ટ, પાંચ ટી20 ઇન્ટરનેશનલ અને ત્રણ વન ડે મૅચ રમાવાની છે. પહેલી બે ટેસ્ટ ચેન્નઇમાં રમાશે જ્યારે આગળની બે મૅચ અમદાવાદમાં રમાશે. બીસીસીઆઇના સૂત્રોના જણાવ્યા અનુસાર જાડેજા ટી 20માં અને ઓડીઆઇમાં રમશે કે નહી તેનો નિર્ણય બાદમાં લેવામાં આવશે.
32 વર્ષના રવિન્દ્ર જાડેજાનું નામ ઇંગ્લેન્ડ વિરુદ્ધ પહેલા બે ટેસ્ટ મૅચમાં નહોતુ હવે આગળની મૅચ માટે પણ તેનુ સિલેક્શન થઇ શકશે નહી. તે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બ્રિસ્બેન ટેસ્ટમાંથી પણ બહાર રહ્યાં હતા.
જાડોજા બેંગ્લોરમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં રિહેબની પ્રક્રિયામાંથી પણ પાસ થશે. અધિકારીઓએ કહ્યું તે ટેસ્ટ સિરીઝમાંથી બહાર છે અને તેને સંપૂર્ણ રીતે ઠીક થવામાં 6 અઠવાડીયાનો સમય લાગશે.
ટેસ્ટ સિરીઝ
પહેલી ટેસ્ટ 5થી 9 ચેન્નઇ
બીજી ટેસ્ટ 13 થી 17 ચેન્નઇ
ત્રીજી ટેસ્ટ 24 થી 28 અમદાવાદ
ચોથી ટેસ્ટ 4 થી 8 માર્ચ, અમદાવાદ
ટી20 ઇન્ટરનેશનલ સિરીઝ
પહેલી મૅચ 12 માર્ચ, અમદાવાદ
બીજી મૅચ 14 માર્ચ, અમદાવાદ
ત્રીજી મૅચ 16 માર્ચ અમદાવાદ
ચોથી મૅચ 18 માર્ચ અમદાવાદ
પાંચમી મૅચ 20 માર્ચ અમદાવાદ