રવિન્દ્ર જાડેજા ભારતીય ક્રિકેટ ટીમના તે અમુક ખેલાડીઓમાં સામેલ છે જેમને ખૂબ સંઘર્ષ બાદ નામના મળી છે. રવિન્દ્ર જાડેજા ક્રિકેટપ્રેમીઓમાં એક સ્થાન રાખે છે અને ભારતીય ક્રિકેટને નવી ઊંચાઈઓ પર લઇ જનાર જાડેજાનું આખું નામ રવિન્દ્ર અનિરુદ્ધ સિંહ જાડેજા છે. તેમનું બાળપણ ખૂબ સંઘર્ષોમાં વીત્યું પરંતુ આજે દેશમાં તેમની એટલી નામના છે કે પોતે વડાપ્રધાન મોદી પણ તેમને સર જાડેજા કહીને સંબોધિત કરે છે.
રવિન્દ્રની માતાની ખૂબ ઈચ્છા હતી કે તેમનો દીકરો ખૂબ મોટો ક્રિકેટ બને
2009માં તેમને ટીમ ઇન્ડિયા તરફથી વનડે અને T-20માં મોકો મળ્યો
માત્ર 23 વર્ષની ઉંમરમાં જ ટ્રિપલ સેન્ચુરી ફટકારી
પ્રાઈવેટ કંપનીમાં ગાર્ડ હતા રવિન્દ્ર જાડેજાના પિતા
રવિન્દ્ર જાડેજાના પિતા એક પ્રાઈવેટ કંપનીમાં ગાર્ડ હતા અને તે રવિન્દ્રને એક આર્મી ઓફિસર બનાવવા માંગતા હતા પરંતુ ક્રિકેટ તરફ રવિન્દ્રનો લગાવ વધારે હતો અને મા લતાની પણ ઇચ્છા હતી કે તમનો દીકરો ક્રિકેટર બને.
સંઘર્ષથી સફળતા સુધી સર જાડેજાનો સફર
વર્ષ 2002માં જાડેજા પહેલીવાર સૌરાષ્ટ્ર તરફથી અન્ડર-14માં મહારાષ્ટ્રની વિરુદ્ધ મેદાનમાં ઉતર્યા જ્યાં તેમણે ધમાકેદાર પ્રદર્શનક કર્યું અને 87 રન ઠોકી માર્યા અને 4 વિકેટ પણ ઝડપી. જાડેજાનાં આ પ્રદર્શનને જોતા તેમને અન્ડર-19માં જગ્યા મળી ગઈ અને આ જ ફોરમેટમાં તેમણે પોતાના કરિયરની પહેલી સેન્ચુરી ફટકારી.
માતાના આકસ્મિક મોતથી જાડેજાને લાગ્યો આઘાત
રવિન્દ્રની માતાની ખૂબ ઈચ્છા હતી કે તેમનો દીકરો ખૂબ મોટો ક્રિકેટ બને પરંતુ આ સ્વપ્નને તે પોતાની આંખોથી પૂરું થતાં જોવે તે પહેલા જ અકસ્માતમાં મૃત્યુ પામ્યા. માતાની મોતથી આઘાત લાગતા જાડેજાએ તો ક્રિકેટ છોડવાનો જ નિર્ણય લઇ લીધો પરંતુ તેમની મોટી બહેને તેમને સંભાળ્યા અને આગળ પણ રમતા રહેવા માટે પ્રોત્સાહિત કર્યા.
અન્ડર-19 વર્લ્ડ કપમાં વિરોધીઓના છક્કા છોડાવી દીધા
ડિસેમ્બર 2005માં અન્ડર-19 વર્લ્ડ કપ માટે જાડેજાની પસંદગી કરવામાં આવી. તેમણે ઓસ્ટ્રેલીયા સામે 4 અને પાકિસ્તાનની 3 વિકેટો લઈને જોરદાર પ્રદર્શન કર્યું. વર્ષ 2008માં વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં જાડેજા 10 વિકેટ ઝડપીને બધાનું દિલ જીતી લીધું અને ભારત આ ટૂર્નામેન્ટમાં વિજયી રહ્યો.
ટીમ ઇન્ડિયામાં જાડેજાને મળ્યો મોકો
વર્ષ 2009માં તેમને ટીમ ઇન્ડિયા તરફથી વનડે અને T-20માં મોકો મળ્યો અને વર્ષ 2012માં તેમણે ટેસ્ટમાં ડેબ્યુ કર્યું.
ધોનીથી લઈને પીએમ મોદી સુધીના લોકો સર કહીને કરે છે સંબોધિત
2012માં તેમણે માત્ર 23 વર્ષની ઉંમરમાં જ ટ્રિપલ સેન્ચુરી ફટકારી અને આ કારનામો કરનાર તે ભારતનાં પહેલા અને દુનિયાનાં આઠમા ક્રિકેટર બન્યા. તેમની મોટી બહેને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જાડેજા ખૂબ શરમાળ હતા અને ધોની અને બીજા લોકો જ્યારે તેમને સર કહેતા હતા ત્યારે તે સંકોચ અનુભવતા હતા. વર્ષ 2015માં વડાપ્રધાન મોદીએ પણ જ્યારે રવિન્દ્ર જાડેજા વિશે ટ્વિટ કર્યું ત્યારે તેમને સર કહીને સંબોધિત કર્યા.
રિવાબા સાથે લગ્ન
જાડેજાને ભણવા-લખવાનો પણ શોખ હતો પણ સમય ન હોવાના કારણે તે પોતાની ગ્રેજ્યુએશન પૂરી કરી શક્યા નહીં અને 17 એપ્રિલ 2016ના દિવસે તે રિવાબા સાથે લગ્નસંભંધમાં બંધાયા.
જાડેજાએ ઘણા બધા રેકોર્ડ પોતાના નામે કર્યા છે ત્યારે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 200 વિકેટ લેનાર શ્રીલંકાનાં સ્પિનર રંગનાનો રેકોર્ડ જાડેજાએ માત્ર 44 ટેસ્ટમાં જ તોડી નાખ્યો હતો.