જાડેજાની ગેરહાજરીમાં ઓલરાઉન્ડર અક્ષર પટેલે અત્યાર સુધી તમામ ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં ODI વર્લ્ડ કપમાં રવિન્દ્ર જાડેજાને ટીમમાં સ્થાન મળવાના ચાન્સ ઘટી ગયા છે.
અક્ષર પટેલે કે રવીન્દ્ર જાડેજા, કોને મળશે ટીમમાં સ્થાન?
ગૌતમ ગંભીરે રવીન્દ્ર જાડેજા વિશે કહી આ વાત
જાડેજાએ ગંભીરની આ વાતનો જવાબ આપ્યો?
અક્ષર પટેલ હાલ શાનદાર ફોર્મમાં
ભારતીય ટીમે શ્રીલંકા સામે સતત બીજી વનડે જીતીને લોકો અને સિલેક્શન ટીમમાં ચર્ચાનો વિષય બની છે, જણાવી દઈએ કે ODI વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા માટે દરેક મેચ મહત્વપૂર્ણ છે, આવી સ્થિતિમાં એ ટીમમાં કયા ખેલાડીઓને સ્થાન મળી શકે છે એ ચર્ચાનો વિષય છે. જો કે ODI વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામેની ક્રિકેટ સીરિઝ રમશે અને એ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે.
અક્ષર પટેલે કે રવીન્દ્ર જાડેજા, કોને મળશે સ્થાન?
જણાવી દઈએ કે કિવી ટીમ ભારતના પ્રવાસ પર ત્રણ વનડે અને ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોની સીરિઝ રમશે અને આ સીરિઝ માટે જાહેર થનારી ટીમ ઈન્ડિયામાં પહેલા રવિન્દ્ર જાડેજાની વાપસીની ચર્ચા થઈ રહી હતી. આપણે બધા જાણીએ છીએ કે જાડેજા ઈજાના કારણે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર હતો અને ઈજાના કારણે તે T20 વર્લ્ડ કપમાં પણ રમી શક્યો ન હતો. જો કે જાડેજાની ગેરહાજરીમાં ઓલરાઉન્ડર અક્ષર પટેલે અત્યાર સુધી તમામ ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં હાલ એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવશે ત્યારે સિલેક્ટર્સ અક્ષરને ટીમની બહાર કાઢવાનું જોખમ નહીં લે. આ સાથે જ એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે અક્ષર પટેલનું પ્રદર્શન જોઈને ODI વર્લ્ડ કપમાં પણ રવિન્દ્ર જાડેજાને ટીમમાં સ્થામ મળવાના ચાન્સ ઘટી ગયા છે.
ગૌતમ ગંભીરે કહી આ વાત
આ દરમિયાન પૂર્વ ભારતીય બેટ્સમેન ગૌતમ ગંભીરે આ વિશે મોટું નિવેદન આપ્યું છે. જણાવી દઈએ કે પોતાના સ્પષ્ટ નિવેદનો માટે જાણીતા ગંભીરે કહ્યું હતું કે તેઓ વર્લ્ડ કપમાં 4 સ્પિનરો જોવા માંગે છે. ODI વર્લ્ડ કપ ટીમમાં ચહલની જગ્યાએ કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ અને વોશિંગ્ટન સુંદરને જોવા માંગે છે. આ સાથે જ ગંભીરે કહ્યું હતું કે હું રવીન્દ્ર જાડેજાની જગ્યાએ અક્ષર પટેલને રાખીશ કારણ કે અત્યાર સુધી તેનું પ્રદર્શન સારું અને તેને કોઈ ભૂલ કરી નથી.
જાડેજાએ ગંભીરની આ વાતનો જવાબ આપ્યો?
તમને જણાવી દઈએ કે ગૌતમ ગંભીરના નિવેદન બાદ જાડેજાએ એક ટ્વિટ કર્યું હતું. જેને લોકો ગંભીરના નિવેદન પરના એમનો જવાબ છે આમ માની રહ્યા છે. ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ટ્વીટ કર્યું હતું કે, "કંઈ બોલીશ નહીં, બસ સ્માઇલ કરો… ' જાડેજાનું આ ટ્વીટ ગંભીરના નિવેદનનો જવાબ હોવાનું માનવામાં આવે છે અને જાડેજાના આ ટ્વીટ પરથી મૌન રહીને પણ મોટી વાત કહેવા માંગે છે.
અક્ષર પટેલ શાનદાર ફોર્મમાં છે
જો અક્ષર પટેલની વાત કરીએ તો તે છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયા માટે સારું પ્રદર્શન કરતો જોવા મળી રહ્યો છે. મેચ દરમિયાન અક્ષરે માત્ર બોલથી જ નહીં, બેટથી પણ લોકોને ચોંકાવી દીધા હતા. જણાવી દઈએ કે તેણે શ્રીલંકા સામેની T20 શ્રેણીમાં 65 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી અને એ સાથે જ તેને છેલ્લી પાંચ મેચમાં ચાર વિકેટ ઝડપી છે. અક્ષરના શાનદાર પ્રદર્શનથી ODI વર્લ્ડ કપમાં તેનું સ્થાન નિશ્ચિત થઈ રહ્યું છે, તો બીજી તરફ રવિન્દ્ર જાડેજાનું સ્થાન જોખમમાં છે. ODI વર્લ્ડ કપમાં અક્ષર અને જાડેજામાંથી કોણ સ્થાન મેળવે છે તે જોવું રસપ્રદ રહેશે.