ICC વર્લ્ડ ચેમ્પિયનશીપ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતને મળેલી કારમી હાર બાદ ટીમ પર ઘણા પ્રશ્નો ઉઠ્યા છે.
રવિન્દ્ર જાડેજાના સ્થાન પર શંકા
ટીમથી બહાર થઇ શકે જાડેજા
જાડેજાની જગ્યાએ આ ખેલાડી થઇ શકે સામેલ
WTC ફાઇનલમાં બેટ્સમેન અને બોલર બંનેના ખરાબ પ્રદર્શનના કારણે આ હારનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલીએ સંકેત આપ્યા છે કે હવે ટીમમાં ફેરફાર થશે. જે ખેલાડીઓ ફ્લૉપ રહ્યાં છે તેઓને બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે. રવિન્દ્ર જાડેજાનું નામ આ લિસ્ટમાં મોખરે છે.
એક રિપોર્ટ અનુસાર ઇંગ્લેન્ડ સામે 4 ઓગસ્ટથી શરૂ થનારી મૅચમાં રવિન્દ્ર જાડેજાની જગ્યાએ શાર્દુલ ઠાકુરને ટીમમાં સ્થાન અપાય તેવી શક્યતા છે. ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રીકા જેવી ટીમના પ્રવાર પર સ્પિન બોલર અને ફાસ્ટ બોલરની બોલબાલા રહે છે પરંતુ વિદેશી ધરતી પર ટીમ ફીટ બેસી રહી નથી. WTC જેવી ભૂલ તે ફરી કરવા માંગતા નથી.
શાર્દુલ પાસે બોલને સ્વિંગ કરાવવાની તાકાત છે અને તે મુશ્કેલ સમયમાં ટીમને વિકેટ અપાવવાનું જોમ ધરાવે છે. સાથે જ તે સારી બેટિંગ પણ કરે છે માટે રવિન્દ્રની જગ્યાએ શાર્દુલને ટીમમાં સ્થાન મળે તેવી શક્યતા દેખાઇ રહી છે.
ઇંગ્લેન્ડના સાઉથેમ્પટનમાં રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે ભારતીય ટીમની હાર બાદ કરોડો ભારતીયોના દિલ તૂટ્યા હતા. ન્યૂઝીલેન્ડ ટીમે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારતને 8 વિકેટે હરાવી ઈતિહાસ રચી દીધો છે. ટીમ ઈન્ડિયાએ મેચમાં ઘણી જગ્યાએ ભૂલો કરી હતી જેના પરિણામ સ્વરૂપે તેમની પાસેથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો તાજ છીનવાયી ગયો હતો. જેથી ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલી સહિતના અન્ય ખેલાડીઓ ખુબ જ નિરાશ થયા હતા. મેચ બાદ કોહલીએ આ હાર માટે કેટલાક કારણોને જવાબદાર ઠેરવ્યા હતા.
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત યોજાયેલા WTC ફાઈનલમાં ભારતીય ટીમે પ્રથમ ઈનિંગમાં 217 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ ઈનિંગ્સમાં 249 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડની ટીમને 32 રનની લીડ મળી હતી, બીજી ઈનિંગ્સમાં ભારતીય ટીમ 170 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી અને કીવી ટીમને જીતવા માટે 139 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ન્યૂઝીલેન્ડ ટીમે કેપ્ટન વિલિયમસનની અણનમ અડધી સદીની મદદથી 2 વિકેટ ગુમાવીને 139 રનનો ટાર્ગેટ પ્રાપ્ત કર્યો હતો. પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જીત મેળવી પોતાનું નામ ઈતિહાસના પાનામાં નોંધાવી દીધું છે.