ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટી-20માં અશ્વિનનું નામ જોઈને ક્રિકેટ ચાહકોને ખુશી થઈ.4 વર્ષ બાદ તેને UAEમાં ટી-20 વર્લ્ડકપમાં રમવાની તક મળી, પરંતુ કોહલીએ વિશ્વાસ નહોતો દેખાડ્યો
ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટી-20માં અશ્વિનનું નામ જોઈને ક્રિકેટ ચાહકોને ખુશી
અશ્વિને એક જ ઓવરમાં બે વિકેટ ઝડપીને રનની ગતિ પર અંકુશ લગાવી દીધો.
ચાર વર્ષ, ચાર મહિના બાદ કમબેક કર્યા બાદ અશ્વિનનો રેકોર્ડ સર્જયો
ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટી-20માં અશ્વિનનું નામ જોઈને ક્રિકેટ ચાહકોને ખુશી
જયપુરમાં ગઈ કાલે ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટી-20માં ભારતની અંતિમ ઈલેવનમાં અશ્વિનનું નામ જોઈને ક્રિકેટ ચાહકોને ખુશી થઈ. ચાર વર્ષ બાદ તેને યુએઈમાં ટી-20 વર્લ્ડકપમાં રમવાની તક જરૂર મળી, પરંતુ કેપ્ટન કોહલીએ એટલો બધો વિશ્વાસ નહોતો દેખાડ્યો, પરંતુ ગઈ કાલે રોહિત શર્માએ ભારત તરફથી ૬૦૦થી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ ઝડપનારા અશ્વિનને બીજા સ્પિનર્સ જેટલું જ મહત્ત્વ આપીને જણાવી દીધું કે અનુભવનું મહત્ત્વ શું છે.
અશ્વિને એક જ ઓવરમાં બે વિકેટ ઝડપીને રનની ગતિ પર અંકુશ લગાવી દીધો.
એક સમયે એવું લાગી રહ્યું હતું કે ન્યૂઝીલેન્ડની ટીમ 180 રન જેટલો સ્કોર બનાવશે. ત્યારે અશ્વિને એક જ ઓવરમાં બે વિકેટ ઝડપીને રનની ગતિ પર અંકુશ લગાવી દીધો. અશ્વિને ચાર ઓવરમાં 23 રન આપીને બે મહત્ત્વપૂર્ણ વિકેટ ઝડપી. અશ્વિન 14મી ઓવરમાં બોલિંગ માટે પાછો ફર્યો અને ન્યૂઝીલેન્ડને બે ઝટકા આપ્યા. ન્યૂઝીલેન્ડનો સ્કોર ૧૫ ઓવરમાં ત્રણ વિકેટે 123 રન હતો. ચેપમેન (63) અને ગ્લેન ફિલિપ (0)ને અશ્વિને પેવેલિયન ભેગા કરી દીધા.
ચાર વર્ષ, ચાર મહિના બાદ કમબેક કર્યા બાદ અશ્વિનનો રેકોર્ડ સર્જયો
ચાર વર્ષ, ચાર મહિના બાદ કમબેક કર્યા બાદ અશ્વિનનો રેકોર્ડ જોશો તો સમજાશે કે તેને ફક્ત ટેસ્ટ ક્રિકેટ માટે જ સીમિત કરી દેવામાં એ કેટલો મોટો અન્યાય હતો. જે ખેલાડી આઇપીએલ ટીમની કેપ્ટનશિપ કરી રહ્યો હોય એને ટીમ ઇન્ડિયાની વન ડે ટીમને લાયક પણ નહોતો સમજવામાં આવતો. ચાર મેચમાં નવ વિકેટ બતાવે છે કે આ ખેલાડીમાં હજુ પણ એટલો જ દમ છે.