એશિયા કપની બંને મેચોમા યુઝવેન્દ્ર ચાહલનાં ખરાબ પ્રદર્શનને કારણે તેમની જગ્યાએ રવિચંદ્રન અશ્વિનને તક મળી શકે છે.
એશિયા કપ 2022મા બંને મેચમાં યુઝવેન્દ્ર ચાહલનું પ્રદર્શન ખરાબ
રવિચંદ્રન અશ્વિનને મળી શકે છે તક
ભારત અને પાકિસ્તાન 4 સપ્ટેમ્બરનાં રોજ આમસામે આવશે
ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપમા એકવાર ફરી 4 સપ્ટેમ્બરના રોજ સુપર 4ની મેચ રમવામાં આવશે. આ મેચને જીતીને ટીમ ઈન્ડિયા ફાઇનલ તરફ આગળ વધવા માંગશે. ભારત પાસે ઘણા મેચ વિનર્સ પ્લેયર્સ છે, જે ટીમ ઈન્ડિયાને મેચ જિતાડી શકે છે. આ ખેલાડીઓ બોલિંગ દ્વારા મેચની દિશા બદલવામાં માહેર છે. પાકિસ્તાન સામે જીતવા માટે કેપ્ટન રોહિત શર્મા પ્લેઇંગ 11મા ફેરફાર કરવા માંગશે.
યુઝવેન્દ્ર ચહલનું ખરાબ પ્રદર્શન
એશિયા કપ 2022મા યુઝવેન્દ્ર ચહલ પોતાના નામને અનુરૂપ પ્રદર્શન કર્યું નથી. તેમની સામે વિરોધી ટીમોનાઆ બેટ્સમેનોએ ખૂબ જ રન બનાવ્યા છે. પાકિસ્તાન સામે પહેલી જ મેચમાં પોતાના ચાર ઓવરમાં 32 રન આઆપ્યા અને એક પણ વિકેટ ચહલ મેળવી ન શક્યા, જ્યારે દુબઈની પીંચ સ્પિનર્સ માટે મદદરૂપ હોય છે. અહીં ચહલ કમાલ ન કરી શક્યા. હોંગકોંગ સામે પણ ખરાબ પ્રદર્શનને કારણે ફ્લોપ સાબિત થયા. તેમણે ચાર ઓવરમા 18 રન આપીને કોઈપણ વિકેટ ન મેળવી.
આ ખેલાડી થઈ શકે છે સામેલ
યુઝવેન્દ્ર ચહલ ટીમ ઈન્ડિયા પર બોજ બની ગયા છે. તેઓ ટીમની જીત માટે યોગદાન નથી આપી રહ્યા. આવામાં ચહલની જગ્યાએ રવિચંદ્રન અશ્વિનને સામેલ કરવામાં આવી શકે છે. અશ્વિન સ્પિનના મહારથી છે. ટી20 ક્રિકેટમા તેમની ચાર ઓવર હાર અને જીત નક્કી કરે છે.
ટીમ ઈન્ડિયાને ઘણી મેચ જિતાડી છે
રવિચંદ્રન અશ્વિન કેરમ બોલ ખૂબ જ સારો ફેંકે છે, જેથી બેટ્સમેન સમજી નથી શકતો અને જલ્દી આઉટ થઈ જાય છે. અશ્વિને ભારત માટે ટી20 મેચોમા 64 વિકેટ મેળવી છે. ભારત તરફથી ટેસ્ટ મેચોમા તેઓ બીજા સૌથી વધારે વિકેટ મેળવનાર ખેલાડી છે. આવામાં પાકિસ્તાન સામે તેઓ કહેર બની શકે છે.
ભારતનું પલડું ભારે
ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપમા 15 મેચ રમવામાં આવી છે, જેમાંઆ ભારતે 9 મેચમા જીત મેળવી છે અને પાકિસ્તાન 4 વખત જીત્યું છે. ભારતે સૌથી વધારે 7 વાર એશિયા કપનો ખિતાબ પોતાને નામ કર્યો છે. જ્યારે પાકિસ્તાનની ટીમ માત્ર બે વાર એશિયા કપ જીતવામાં સફળ રહી છે.