રવિ શાસ્ત્રી હવે વર્ષ 2021 સુધી ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે બન્યા રહેશે. રિપોર્ટ અનુસાર શાસ્ત્રીએ નવા કાર્યકાળમાં ભારતીય ટીમ માટે ફિટનેસના માપદંડમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.
તાજેતરમાં રવિ શાસ્ત્રીને ફરીથી ટીમ ઇન્ડિયાનો કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પોતાના સતત બીજા કાર્યકાળમાં શાસ્ત્રી ટીમના ફિટનેસ લેવલને વધારે સારી કરવા ઇચ્છે છે. ત્યારે તો હવે તે યો યો ટેસ્ટનો સ્કોર 17 સુધી વધારવાના મૂડમાં છે.
એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોચ રવિ શાસ્ત્રી જલ્દીથી જ તમામ દાવેદારોની સાથે એક બેઠક યોજવાના છે. જેમાં યો યો ટેસ્ટને વધારીને 17 સુધી કરવામાં આવશે એવી ચર્ચા થઇ રહી છે. હાલ ભારતીય ખેલાડીઓ માટે યો યો ટેસ્ટમાં ખેલાડીઓનો 16.1 માર્ક્સ લાવવા પડે છે. ત્યારે રાષ્ટ્રીય ટીમમાં સામેલ થઇ શકે છે.
નોંધનીય છે કે 2017માં યો યો ટેસ્ટને ખેલાડીઓ માટે ફરજીયાત બનાવવામાં આવી છે. અંબાતી રાયડુ, સંજૂ સેમસન અને મોહમ્મદ શમીને આ ટેસ્ટમાં પાસ ના થવાને કારણે ડ્રોપ કરવામાં આવ્યો હતો. સુરેશ રૈના અને યુવરાજ સિંહ પણ આ જ કારણથી વાપસી કરી શક્યો નહતો.
પહેલી વખત યો યો ટેસ્ટમાં ફેલ થયા બાદ અંબાતી રાયડૂ અને મોહમ્મદ શમીએ ટેસ્ટ પાસ કરી લીધી હતી. બાદમાં રેના પણ 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો. જો કે, યુવરાજ સિંહે પણ યો યો ટેસ્ટ પાસ કરી હતી, પરંતુ એ ટીમમાં વાપસી કરી શક્યો નહતો. મનીષ પાંડેએ યો યો ટેસ્ટમાં 19.2 માર્ક પ્રાપ્ત કર્યા હતા.
રવિ શાસ્ત્રી ટેસ્ટ ક્રિકેટમાં પણ સલામી બેટ્સમેનની જવાબદારી રોહિત શર્માને આપવાના પક્ષમાં છે. શાસ્ત્રીના સમર્થન બાદ એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કેએલ રાહુલ સતત ફ્લોપ થયા બાદ 2 ઓક્ટોબરથી શરૂ થનારી ટેસ્ટ સીરિઝમાં ઓપનર તરીકે રમશે.
હવે ભારતીય ટીમની સાથે શાસ્ત્રીના બીજા ટર્મની શરૂઆત દક્ષિણ આફ્રિકાના ભારત પ્રવાસની સાથે હશે.
હવે ભારતીય ટીમની સાથે શાસ્ત્રીના બીજા ટર્મની શરૂઆત દક્ષિણ આફ્રિકાના ભારત પ્રવાસની સાથે થશે. એવામાં ભારતીય કોચ હવે દક્ષિણય આફ્રિકાની વિરુદ્ધ ઘરેલૂ મેદાનો પર હોમ સીરિઝની તૈયારીમાં લાગેલી છે.