ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી અનુસાર, COVID 19 ની કારણે લાગી રહ્યુ છે આખી દુનિયા જાણે ઉભી રહી ગઇ છે અને જેના કારણે ટીમ ઇન્ડિયાને સારો આરામ મળી રહ્યો છે. ગત વર્ષ મેનાં વર્લ્ડકપ પછી માત્ર 10-11 દિવસ ઘર પર વીતાવ્યા હતા.
કોરોના વાયરસના સંક્રમણને કારણે દુનિયાભરમાં તમામ ખેલ બંધ છે. શાસ્ત્રીએ કહ્યુ કે, ''આરામ ખોટો નથી કેમકે ન્યૂઝીલેન્ડ પ્રવાસના છેલ્લે થાક હાવી થવા લાગ્યો હતો, શારીરિક અને માનકિસ થાકની સાથે ઇજા પણ.''
ટીમ ઇન્ડિયાના હેડ કોચે આગળ કહ્યુ કે, અમુક ખેલાડીઓ ત્રણેય ફોર્મેટમાં રમે છે. તો તમે વિચારી શકો છો તેમની શુ હાલત થતી હશે. સતત T-20થી ટેસ્ટમાં શિફ્ટ થવું અઘરું છે. તે ઉપરાંત અમે સતત ટ્રાવેલ પણ કર્યું છે. ઇંગ્લેન્ડ પછી અમે વેસ્ટ ઇન્ડીઝ અને સાઉથ આફ્રિકામાં રમ્યા. ત્યારબાદ અઢી મહિના હોમ સીઝન ચાલી અને તેના પછી ન્યૂઝીલેન્ડ ગયા હતા. તેથી આ આરામ મળવો પ્લેયર્સ અને ટીમ માટે બહુ સારો છે.
સમય સર ન્યૂઝીલેન્ડથી પરત ફર્યા
જ્યારે સાઉથ આફ્રિકા વિરુદ્ઘ બીજી વનડે રદ્દ થઇ ત્યારે ખબર હતી કે કંઇ થશે તો લોકડાઉનનું પગલું જરૂરી હતું. પ્લેયર્સને ન્યૂઝીલેન્ડ સીરિઝથી આ અંગે આઈડિયા હતો. તે ટૂરના અંતે જે રીતે ફ્લાઇટ્સ સિંગાપુરથી આવી રહી હતી, જઇ રહી હતી, તેના પરથી અંદાજો આવી ગયો હતો. મને લાગે છે કે અમે ઇન્ડિયા ટાઈમ પર પાછા ફર્યા. ત્યારે ન્યૂઝીલેન્ડમાં માત્ર 2 કેસ હતા, અત્યારે 300થી વધુ છે. અમે ભારત પાછા ફર્યા ત્યારે જ એરપોર્ટ પર સ્ક્રીનીંગની શરૂઆત થઈ હતી અને લોકોનો ટેસ્ટ થઈ રહ્યો હતો.
લોકોને જાગૃત કરવાની જવાબદારી ક્રિકેટર્સની છે
રવિ શાસ્ત્રીએ આગળ કહ્યુ કે, પ્લેયર તરીકે તમારી ઘણી જવાબદારી હોય છે. મેસેજ બહુ ક્લિયર છે, અત્યારે ક્રિકેટ છેલ્લો વિચાર હોવો જોઈએ. અત્યારે સેફટી સૌથી મહત્વની છે. લોકોને જાગૃત કરવા જરૂરી છે કે આ ગંભીર પરિસ્થિતિ છે. વિરાટ અને અન્ય પ્લેયર્સ પણ આ કરી રહ્યા છે.