રવિ શાસ્ત્રીએ કહ્યું, જો કોઇ ખેલાડી મૂર્ખામી કરી રહ્યો છે તો મારે એને બોલવુ પડશે. શું અહીંયા માત્ર તબલા વગાડવા માટે બેઠો છું પરંતુ આ શખ્સ (પંત) વિશ્વસ્તરીય છે. આ વિનાશક સાબિત થઇ શકે છે. અમે એને પૂરું સમર્થન આપીશું જે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સફળતા પ્રાપ્ત કરવા માટે જરૂરી છે.
મહેન્દ્ર સિંહ ધોનીના ઉત્તરાધિકારી માનવામાં આવી રહેલા રિષભ પંત પર પ્રશ્ન
ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ પંત પર આપ્યું મોટું નિવેદન
ઇન્ટરનેશનલ ક્રિકેટના ત્રણ ફોર્મેટ્સમાં સત ખરાબ પ્રદર્શન બાદ રિષભ પંત ટીકાનો સામનો કરી રહ્યો છે. જો કે ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ આ યુવા વિકેટકીપર બેટ્સમેનનો બચાવ કર્યો છે. કોચ શાસ્ત્રીનું કહેવું છે કે વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત વર્લ્ડ ક્લાસ ખેલાડી છે અને ટીમ મેનેજમેન્ટ એને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સફળ થવા માટે શક્ય એટલો સાથ આપશે.
જણાવી દઇએ કે હાલ દિવસોમાં રિષભ પંત બેટ્સમેનમાં ફ્લૉપ સાબિત થઇ રહ્યો છે. રિષભ પંત જે રીતે વિકેટ ગુમાવતો નજરે આવી રહ્યો છે, ત્યારબાદ ટીમ મેનેજમેન્ટે પણ એને ચેતવણી આપી. પરંતુ હવે કોચ શાસ્ત્રીએ મીડિયાને કહ્યું, 'પંત અલગ છે, એ વર્લ્ડ ક્લાસ છે અને એક ક્રૂર મેચ વિજેતા છે. વન ડે અને ટી 20ની વાત કરીએ તો દુનિયામાં ખૂબ જ ઓછા પંત જેવા ખેલાડી છે, હું એ પાંચ ખેલાડીઓમાં ટેરવા પર પણ ના ગણી શકું.'
શાસ્ત્રીએ કહ્યું,
'તમામ મીડિયા રિપોર્ટ્સ અને વિશેષજ્ઞોના કહેવા છતાં પંત ભારતીય ટીમની સાથે જોરદાર ફોર્મમાં છે. વિશેષજ્ઞોનું આ કામ છે, એ બોલી શકે છે. પંત એક વિશેષ ખેલાડી છે અને એને પહેલા ઘણું કર્યું છે અને એ શીખશે, આ ટીમ મેનેજમેન્ટ એનું સમર્થન કરશે.'
એની પર શાસ્ત્રીએ કહ્યું, 'મે ભૂલો થવા પર પરિણામ ભોગવવા'ની વાત કહી હતી, જો કોઇ ભૂલ કરશે તો હું એને જણાવીશ. શું હું ત્યાં માત્ર તબલા વગાડવા માટે છું? પરંતુ આ ખેલાડી વર્લ્ડ ક્લાસ છે, આ ખેલાડી વિનાશક અને વિસ્ફોટક પણ હોઇ શકે છે. અમે એને ત્યાં પૂરું સમર્થન આપીશું જેની એને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ચમકવા માટે જરૂર છે.'
શાસ્ત્રીએ કહ્યું, 'એવું ના કહેશો કે ટીમ પ્રબંધન, પંતના પ્રદર્શનના કારણે મે એ નિવેદન આપ્યું હતું. જો કોઇ ભૂલ કરે છે તો મારે એની સાથે વાત કરવાની જરૂર છે. આ ખેલાડી કોઇ પણ બોલર ક્રમની બેઇજ્જત કરી શકે છે. આપણે એમને સમર્થન આપવું પડશે કારણ કે એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સારું કરી શકે.'
સુનીલ ગાવસ્કરે આપ્યો હતો પંતનો સાથ
પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવાસ્કરે આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારી ટી 20 વર્લ્ડકપ પહેલા રિષભ પંતને વધારેમાં વધારે તક આપવાની જાહેરાત કહી છે. ગાવસ્કરે કહ્યું, 'આપણે હવે મહેન્દ્ર સિંહ ધોનીથી આગળ જોવાની જરૂર છે. જો તમે ટી 20 વર્લ્ડકપ માટે વાત કરી રહ્યા છો તો હું નિશ્ચિત રૂપથી રિષભ પંત માટે વિચારીશ.'