વર્લ્ડકપ 2019ની સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયાની હાર પછી લાગ્યુ હતુ કે રવિ શાસ્ત્રીનુ કોચ પદ પર ફરી આવવુ મુશ્કેલ છે, પરંતુ લાંબી કવાયત પછી ફરી તેના નામ પર ક્રિકેટ એડવાઇઝરી કમિટી (CAC)એ મોહર લાગવી દીધી.
આ સાથે જ 57 વર્ષના રવિ શાસ્ત્રીને ફરી એક વખત ટીમ ઇન્ડિયાના હેડ કોચ બનાવવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ મુંબઇ પ્રેસ કોન્ફરન્સમાં તેમના નામની જાહેરાત કરી છે.
BCCIએ શુક્રવારે જાહેર કર્યું હતું કે, "કપિલ દેવની આગેવાનીમાં ક્રિકેટ એડવાઈઝરી કમિટી (CAC)એ વિવિધ દાવેદારોના ઇન્ટરવ્યૂ લીધા પછી શાસ્ત્રીની પસંદગી કરી છે. BCCI CACના નિર્ણયથી સહમત છે ને શાસ્ત્રી 2021ના ટી-20 વર્લ્ડકપ સુધી કોચ પદ જાળવી રાખશે."
The CAC reappoints Mr Ravi Shastri as the Head Coach of the Indian Cricket Team. pic.twitter.com/vLqgkyj7I2
ટીમ ઇન્ડિયાના હેડ કોચ માટે 6 નામોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં કોચ રવિ શાસ્ત્રીનું નામ પણ હતુ. રવિ શાસ્ત્રી સિવાય 2 અને ભારતીય કોચ ( પૂર્વ ક્રિકેટર લાલચંદ રાજપૂત અને રોબિન સિંહ)ને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા હતા. છેવટે કપિલ દેવની અધ્યક્ષતાવાળી CACની પહેલી પસંદ રવિ શાસ્ત્રી બન્યા. આ કમિટીમાં અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામી પણ શામેલ છે.
Kapil Dev, Cricket Advisory Committee (CAC): Ravi Shastri to continue as Indian Cricket Team's (Senior Men) Head Coach pic.twitter.com/3ubXMz4hn3
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે BCCI હેડક્વોર્ટર ખાતે હેડ કોચ માટે લાલચંદ રાજપૂત, રોબિન સિંહ અને માઇક હેસન હાજર રહ્યા, જ્યારે રવિ શાસ્ત્રી સહિત 2 દાવેદાર Skype ના માધ્યમથી જોડાયા.
ટીમ ઇન્ડિયાના હેડ કોચ માટે આ હતા દાવેદાર:
- રવિ શાસ્ત્રી ( 80 ટેસ્ટ, 150 વનડે ઇન્ટરનેશનલ)
- ટોમ મુડી (8 ટેસ્ટ, 76 વડે ઇન્ટનરેનશલ)
- માઇક હેસન (ખિલાડી તરીકે કોઇ અનુભવ નથી)
- ફિલ સિમન્સ (26 ટેસ્ટ, 143 વનડે ઇન્ટરનેશનલ)
- લાલચંદ રાજપૂત (2 ટેસ્ટ, 4 વનડે ઇન્ટરનેશનલ)
- રોબિન સિંહ (1 ટેસ્ટ, 136 વનડે ઇન્ટરનેશનલ)
ફરી બીજી મારી ગયા રવિ શાસ્ત્રી:
હાલમાં વેસ્ટઇન્ડિઝમાં ટીમ ઇન્ડિયાના સાથે રવિ શાસ્ત્રીના પક્ષમાં એક વાત રહી કે કેપ્ટન વિરાટ કોહલીની તેઓ ખાસ પસંદ છે. ટીમ ઇન્ડિયાના કોચિંગ સ્ટાફના કોન્ટ્રાક્ટ વર્લ્ડકપ દરમિયાન પૂરો થઇ ગયો હતો, પરંતુ તેમણે 45 દિવસ સુધી વધારવામાં આવ્યો, જે વિન્ડીઝ પ્રવાસ સુધી જારી રહેશે. ટીમ ઇન્ડિયાના હેડ કોચ માટે વિરાટ પહેલા જ પોતાની પસંદ બતાવી ચૂક્યા છે. 3 અઠવાડિયા પહેલા કેરેબિયાન પ્રવાસ માટે રવાના થતા સમયે વિરાટે કહ્યુ હતુ કે, ''જો રવિ ભાઇ (રવિ શાસ્ત્રી ) કોચ બને છે તો મને ખુશી થશે.''
બીજા કાર્યકાળમાં ટીમને અપાવી 41 જીત:
જૂલાઇ 2017માં બીજી વખત કોચ બન્યા પછી રવિ શાસ્ત્રી કોચિંગમાં ટીમ ઇન્ડિયા 21 ટેસ્ટ મેચ રમી, જેમાં ટીમ ઇન્ડિયાને 13 જીત મળી, જ્યારે T-20 ઇન્ટરનેશનલ મેચમાં ટીમ ઇન્ડિયાને 36માંથી 25માં જીત મળી. જો વનડેની વાત કરવામાં આવે તો શાસ્ત્રીના કોચિંગમાં ટીમ ઇન્ડિયાને 60 મેચમાંથી 43 જીત મળી. આ રીતે બીજા કાર્યકાળમાં તેમની કોચિંગમાં ટીમ ઇન્ડિયાને કુલ 81 મેચમાં જીત મળી. ઉલ્લેખનીય છે કે, કોચ ડંકન ફ્લેચર (2011-2015)માં રહેતા રવિ શાસ્ત્રી પણ ટીમથી જોડાયા, તેઓ 2014-16માં ટીમને ડિરેક્ટ કરી. શાસ્ત્રીએ 2015ના વર્લ્ડ કપ પછી કોચિંગની જવાબાદારી સંભાળી.
ક્રિકેટની 3 ફોર્મેટમાં જૂલાઇ 2017 પછી ટીમ ઇન્ડિયા હાર-જીતની ટકાવારી જોવામાં આવે તો, ટીમ ઇન્ડિયાની જીતની એવરેજ 52.38 ટકા, જ્યારે T-20 ઇન્ટરનેશનલમાં આ એવરેજ 69.44 ટકા, વનડે માં જીતની એવરેજ 71.67 ટકાની રહી. જોકે રવિ શાસ્ત્રીની કોચિંગમાં શાનદાર ફોર્મ કરવા છતા ટીમ ઇન્ડિયા ત્રીજી વખત વર્લ્ડ કપ જીતવામાં નિષ્ફળ રહી. 2015 વર્લ્ડ કપમાં પણ ટીમ ઇન્ડિયા સેમિફાઇનલમાં હારી ગઇ હતી.
રવિ શાસ્ત્રીના પાછલા કાર્યકાળમાં ટીમ ઇન્ડિયાએ ઘણી વખત ટેસ્ટ અને વનડેમાં નંબર 1 સ્થાન મેળવ્યુ છે. ટેસ્ટ ઇતિહાસમાં પહેલી વખત ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રિલયામાં હરાવ્યુ. નવા કોચની શોધની વચ્ચે વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર ગયેલી ટીમ ઇન્ડિયાએ T-20 અને વન ડે સીરિઝમાં ક્લીન સ્વિપ કરીને જીત મેળવી.