કેએલ રાહુલની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે 9 જૂનથી 5 ટી-20 મેચની શ્રેણી રમશે. હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ પહેલી ટી-20 મેચ માટે પ્લેઈંગ ઈલેવન પસંદ કરી છે. તેમણે ટીમમાંથી ઘણા ખેલાડીઓને બહારનો માર્ગ બતાવ્યો છે.
સાઉથ આફ્રિકા સામે 9 જૂનથી 5 ટી-20 મેચની શ્રેણી રમશે
રવિ શાસ્ત્રીએ પહેલી T20 મેચ માટે પસંદ કરી ભારતની Playing 11
આ ખેલાડીઓ ઓપનિંગ તરીકે ઉતરશે
આ ખેલાડીઓને મળી ઓપનિંગ
કેપ્ટન કેએલ રાહુલની સાથે રવિ શાસ્ત્રીએ ઓપનિંગ માટે ઋતુરાજ ગાયકવાડને પસંદ કર્યો છે. ઋતુરાજ વિકેટની વચ્ચે ખૂબ શાનદાર રીતે દોડ લગાવે છે. તો છેલ્લાં થોડા સમયથી કેએલ રાહુલે પોતાની ક્ષમતા પર ભારતીય ટીમને અનેક મેચ જીતાડી છે. ત્રીજા નંબર માટે રવિ શાસ્ત્રીએ ઈશાન કિશનની પસંદગી કરી છે. ઈશાન કિશન આઈપીએલ 2022માં પોતાની ક્ષમતા અનુસાર પ્રદર્શન કરી શક્યા નહોતા.
મિડલ ઓર્ડરમાં આ ખેલાડીઓને મળી જગ્યા
ચોથા નંબર માટે રવિ શાસ્ત્રીએ શ્રેયસ ઐયરને જગ્યા આપી છે. તો પાંચમા નંબર માટે તેમણે વિકેટ કીપર રિષભ પંતને તક આપી છે. જો કે, પંત ત્રણેય ફોર્મેટ્સમાં ભારતીય ટીમનો નંબર 1 વિકેટકીપર બેટ્સમેન છે. છઠ્ઠા નંબર માટે તેમણે લાંબા સમય બાદ ભારતીય ટીમમાં વાપસી કરનારા હાર્દિક પંડ્યાને સ્થાન આપ્યું છે.