ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીને મુંબઇની ભાષામાં ખડુસ કહેવામાં આવે છે, એટલે કે સામાન્ય રીતે તે પોતાના ઇમોશન્સ જાહેર કરતા નથી પરંતુ ભારતની યુવાટીમની ઓસ્ટ્રેલિયામાં શાનદાર જીત બાદ રવિશાસ્ત્રી પોતાના આંસુઓ પર કાબૂ ન રાખી શક્યા.
રવિ શાસ્ત્રી ભારતની જીત બાદ ઇમોશનલ
પંત, સિરાજ અને શાર્દુલને જોઇને ભાવૂક
માનસિક રૂપથી તૈયાર કરે છે કોચ
ભારતની અંડર-25 ટીમના 22 વર્ષીય કપ્તાનના રૂપમાં 1984માં રવિ શાસ્ત્રીએ ટીમ મેનેજરને મોહમ્મદ અજહરુદ્દીનને તેમના દાદાની ખરાબ તબિયત વિશે જાણ નહોતી થવા દીધી કારણ કે તે સમયે અજહર ભારતીય ટીમમાં જગ્યા બનાવવાની તૈયારીમાં જ હતા. શાસ્ત્રી નહોતા ઇચ્છતા કે તે મૅચ છોડીને આ તક ગુમાવી બેસે.
શાસ્ત્રીએ જ્યારે ગાબા કિલ્લો ફતેહ કરીને હાથમાં તિરંગો લઇને દોડતા પંત, સિરાજ અને શાર્દુલને જોયા તો તે ભાવૂક થઇ ગયા હતા. શાસ્ત્રીએ કહ્યું, હું ભાવૂક થઇ ગયો હતો. સામાન્ય રીતે મારી આંખમાંથી આંસુ નથી નીકળતા પરંતુ આ વખતા હું ભાવૂક થઇ ગયો હતો. મારી આંખોમાં આંસુ આવી ગયા કારણકે આ અવાસ્તવિક હતું. આ છોકરાઓએ જે કર્યું તે ઇતિહાસની સૌથી શાનદાર જીત તરીકે નોંધાશે. કોરોના કાળ, ખેલાડીઓની ઇજા અને 36 રન પર આઉટ થયા બાદ આવું શાનદાર પ્રદર્શન.
વધુમાં રવિ શાસ્ત્રીએ ઉમેર્યું કે, કોચનું કામ હોય છે છોકરાઓને માનસિક રૂપથી તૈયાર કરવા. તેમનું જે માઇન્ડ સેટ છે તેને ક્લિયર કરવા માટે. વધારે મુશ્કેલીઓ પેદા કરવાની જરૂર નથી, ખેલને જેટલો સરળ રાખી શકાય તેટલુ સારું. અને કોચનું શું છે તે ડ્રેસિંગ રૂમમાં બેસી રહે છે. ખેલાડીઓ બહાર જઇને રમે છે. કોઇ સ્ટેટમેન્ટની જરૂર નથી ક્રિકેટ જ વાત કરશે.